યુક્રેનના રાષ્ટ્રપતિ થયા ભાવુક- કહ્યું કે, રશિયા સામે લડવા અમને એકલા છોડી દીધા, અમે ગદ્દાર નથી

Russia Ukraine News: ગુરુવારે શરૂ થયેલા યુક્રેન પર રશિયન હુમલા(Russia attack on Ukraine) બાદ દેશ તબાહીની સ્થિતિમાં છે. રશિયા યુક્રેનની રાજધાની કિવ(Kiev)ને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી(Volodymyr Zelenskyy)નો એક વીડિયો મેસેજ સામે આવ્યો છે, જેમાં તે પોતાની પત્ની અને બાળકો વિશે વાત કરતી વખતે લાચાર અને લાગણીશીલ દેખાય છે. ઝેલેન્સકી કહી રહ્યા છે કે હું રશિયાનો પહેલો નિશાન છું અને મારો પરિવાર બીજો છે. ઝેલેન્સકીએ યુક્રેનના અધિકારીઓને ચેતવણી પણ આપી હતી કે રશિયા રાજધાની કિવમાં પ્રવેશ્યું છે. ઝેલેન્સકી કહે છે કે તે અને તેનો પરિવાર દેશદ્રોહી નથી અને યુક્રેનથી ભાગી જશે નહીં.

એક ભાવુક વીડિયો મેસેજમાં ઝેલેન્સકી કહી રહ્યા છે, ‘હું યુક્રેનમાં છું. મારો પરિવાર યુક્રેનમાં છે. મારા બાળકો યુક્રેનમાં છે. તેઓ દેશદ્રોહી નથી…તેઓ યુક્રેનના નાગરિક છે. અમને એવી માહિતી મળી છે કે દુશ્મનોએ મને પહેલું નિશાન બનાવ્યું છે. મારો પરિવાર તેનું બીજું લક્ષ્ય છે.

‘રશિયા મને મારવા માંગે છે’
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઝેલેન્સકીએ પોતાના ઈમોશનલ મેસેજમાં વધુમાં કહ્યું કે રશિયન સરકાર તેમને ખતમ કરવા માંગે છે. “તેઓ (રશિયા) દેશના વડાને ખતમ કરીને યુક્રેનને રાજકીય નુકસાન કરવા માંગે છે,”

ઝેલેન્સકીએ કહ્યું કે તેમણે નાટોના 27 યુરોપિયન નેતાઓને સીધો પ્રશ્ન કર્યો કે શું યુક્રેન નાટોમાં જોડાશે. કોઈએ જવાબ આપ્યો નહીં, બધા ડરી ગયા છે. પરંતુ અમે ડરતા નથી, અમે કંઈપણથી ડરતા નથી. તેણે આગળ કહ્યું, ‘અમે અમારા દેશને બચાવવાથી ડરતા નથી… અમે રશિયાથી ડરતા નથી… અમે રશિયા સાથેની વાતચીતથી પણ ડરતા નથી.’

યુક્રેન નાટોમાં જોડાવા માંગે છે પરંતુ રશિયા તેની વિરુદ્ધ છે. 2014 માં યુક્રેનમાં રશિયન સમર્થિત સરકારના પતન પછી, યુક્રેનિયન સરકારોએ નાટોમાં જોડાવાના ઘણા પ્રયાસો કર્યા છે. પરંતુ રશિયા નાટોને રશિયાની સુરક્ષા માટે ખતરો માને છે, તેથી તે કોઈપણ ભોગે યુક્રેન નાટોનું સભ્ય બને તેવું ઈચ્છતું નથી.

યુક્રેનમાં એક જ દિવસમાં 137 લોકોના મોત:
ઝેલેસ્કીએ પોતાના વીડિયો સંદેશમાં દાવો કર્યો હતો કે રશિયન હુમલાના પહેલા દિવસે યુક્રેનના 137 લોકો માર્યા ગયા હતા અને 316 ઘાયલ થયા હતા. તેમણે કહ્યું, ‘મારે દુખ સાથે કહેવું છે કે ગુરુવારે અમે અમારા 137 સૈનિકો ગુમાવ્યા, જેમાંથી 10 અધિકારીઓ હતા. જ્યારે 316 લોકો ઘાયલ થયા છે. અમારા સૈનિકોએ આત્મસમર્પણ કર્યું નથી. મૃત્યુ પામેલા તમામ સૈનિકોને યુક્રેનના હીરોનું બિરુદ આપવામાં આવશે. આ યુદ્ધમાં માર્યા ગયેલા લોકોને અમે અમારી યાદોમાં રાખીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *