એક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે જઈ રહેલી બસનું ચાલુમાં પૈડું નીકળી જતા એક સાથે 26 મુસાફરો…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ઉન્નાવ(Unnao)માં બુધવારે સવારે એક મોટો અકસ્માત(Accident) થયો હતો. અહીં સ્પીડમાં આવતી બસનું આગળનું વ્હીલ નીકળી ગયું હતું. જેના કારણે બસ કાબુ બહાર…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ઉન્નાવ(Unnao)માં બુધવારે સવારે એક મોટો અકસ્માત(Accident) થયો હતો. અહીં સ્પીડમાં આવતી બસનું આગળનું વ્હીલ નીકળી ગયું હતું. જેના કારણે બસ કાબુ બહાર જઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 26 મુસાફરો ઘાયલ થયા હતા, જેમાંથી 3ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બસ બિહારથી ચંદીગઢ(Bihar to Chandigarh) જઈ રહી હતી, ત્યારે લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે(Lucknow-Agra Expressway) પર કિલોમીટર નંબર 237ની સામે બસને અકસ્માત નડ્યો હતો.

આ વિસ્તાર બાંગરમાઉ કોતવાલી વિસ્તારમાં આવે છે. અકસ્માતના સમાચાર સાંભળ્યા બાદ, ઘટનાસ્થળે પહોંચેલા કોતવાલી પોલીસ અને યુપીડીએના કર્મચારીઓએ તમામ ઇજાગ્રસ્તોને બચાવ્યા અને તેમને નજીકના બાંગરમાઉ સીએચસીમાં સારવાર માટે દાખલ કર્યા. જેમાંથી 3ને ગંભીર ઈજાઓ થતાં જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા, જ્યારે નાની-મોટી ઈજાઓવાળા મુસાફરોને અન્ય વાહનમાં ગોઠવીને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

કાર ડિવાઈડર સાથે અથડાઈ, ચાલકનું મોત:
આ પહેલા આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર એક કાર કાબૂ બહાર જઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા 24 વર્ષીય રામશરણ ત્રિપાઠીનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા. આ અકસ્માત કન્નૌજના તલગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના બિચપુરવા ગામ પાસે થયો હતો. કારમાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, એવું લાગે છે કે ત્રિપાઠીને ડ્રાઇવિંગ દરમિયાન નિદ્રા આવી હતી, જેના કારણે કાર કાબૂ બહાર નીકળી ગઈ હતી અને ડિવાઈડર સાથે અથડાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *