કેળાની છાલને ફેકવાની બદલે આ રીતે કરો ઉપયોગ, ફાયદા જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

કેળાના ફાયદા વિશે આપણે બધાં જાણીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે કેળાની છાલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.કેળા ખાધા પછી આપણે બધા તેની છાલને કચરામાં ફેંકી દઈએ છીએ. તેમાં ઘણા વિટામિન, ખનીજો અને પોષક તત્વો હોય છે.કેળા ની છાલ આરોગ્યની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તે દાંત ને સફેદ કરવામાં પણ મદદ કરે છે અને આ સિવાય ત્વચાની સમસ્યામાંથી પણ છુટકારો આપે છે.તેની છાલ વિટામિન બી-6,બી-12 પોટેશિયમ અને મેગ્નેશિયમ સમૃદ્ધ છે.

કેળાની છાલ માં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને જો તેનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. તે કબજિયાત અને ઝાડા જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. જો તમને ઇરીટેબલ બોલ સિંડ્રોમ સમસ્યા છે તો નિયમિત રીતે તેનું સેવન કરવું જોઈએ.

નિષ્ણાતોના મતે, એક કેળાની છાલને એક અઠવાડિયા સુધી લગભગ એક મિનિટ સુધી ઘસવાથી દાંતમાં તેજ આવે છે. તે પોટેશિયમ અને મેગ્નેશિયમ થી સમૃદ્ધ છે જ્યારે તેને ઘસવામાં આવે છે તો તેમાં રહેલા ખનીજો ને લીધે દાંતમાં ચમક આવે છે. જો તમે ખીલની સમસ્યાથી પરેશાન છો કેળાની છાલને ચહેરા પર ઘસો તો તમને એક અઠવાડિયામાં ફરક દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *