વડતાલ સ્વામિનારાયણ મંદિરના શિષ્યએ ગુરૂ ઉપર સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યનો કર્યો આક્ષેપ- જાણો વિગતે

અવાર-નવાર વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સામે બળાત્કારના કેસ અથવા સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ફરી એક વખત વડતાલ સ્વામિનારાયણ મંદિર વિવાદમાં…

અવાર-નવાર વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સામે બળાત્કારના કેસ અથવા સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ફરી એક વખત વડતાલ સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે. એકવાર ફરીથી ગુરૂ દ્વારા શિષ્ય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના આક્ષેપ લાગ્યા છે. આ મામલે વીડિયો વાયરલ થયો છે. સ્વામિના કરતૂતોનો શિષ્યએ વીડિયો વાયરલ કર્યો છે.

આ વિડીયો વાઈરલ થતા ફરિયાદીને ઘનશ્યામ પ્રકાશ સ્વામીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફરિયાદીનો 15 વર્ષીય પુત્ર સુવ્રત સ્વામી ગુરુ ભક્તિ સંભવ સ્વામી પાસે પાર્ષદ તરીકે રહેતો હતો. અને સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતો હતો. મુખ્ય આરોપી તરીકે સુવ્રત સ્વામી તેમજ અન્ય બે આરોપીમાં મંદિરના ચેરમેન દેવ પ્રકાશ સ્વામી અને કોઠારી સંત વલ્લભ સ્વામીના નામનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, વડતાલ મંદિરના કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સામે વેદાંત વલ્લભ સ્વામીએ સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યનો આક્ષેપ કર્યો છે. વેદાંત વલ્લભ સ્વામીએ કોઠારી ઘનશ્યામ પ્રકાશ કંડારી સૃષ્ટિ વિરુદ્વના કૃત્યનો આક્ષેપ લગાવ્યો છે. વેદાંત વલ્લભ  સ્વામિ ઘનશ્યામ પ્રકાશ કંડારીના શિષ્ય છે. વેદાંતવલ્લભ સ્વામીએ 44 મિનિટનો વીડિયો વાયરલ કર્યો છે. ઘનશ્યામ પ્રકાશ કંડારી સ્વામિ દેવ પક્ષના સ્વામિ છે. ઘનશ્યામ પ્રકાશ કંડારી સ્વામીની અનેક સંસ્થાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *