ગુજરાતની જાણીતી ગાયિકા વૈશાલી બલસારા મૃત્યુ કેસમાં આવ્યો મોટો વળાંક- પતિએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ગુજરાત(Gujarat): જાણીતી ગાયિકા વૈશાલી બલસારા(Vaishali Balsara)ની કારમાંથી મૃતદેહ મળી આવતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, વૈશાલીનો મૃતદેહ નદીના કિનારે પાર્ક કરેલી કારમાં પડેલો મળી આવ્યો હતો. મામલો વલસાડ(Valsad) જિલ્લાના પારડી(Pardi) વિસ્તારનો છે. પોલીસ પૂછપરછ દરમિયાન વૈશાલીના પતિએ જણાવ્યું કે, તે કોઈની પાસેથી પૈસા લેવા બહાર ગઈ હતી. ત્યાર પછી જ્યારે તે લાંબા સમય સુધી ઘરે પરત ન ફરી ત્યારે તેણે પહેલા વૈશાલીને શોધવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ વૈશાલીના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી.

પરંતુ ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યાના 24 કલાક બાદ જ વૈશાલીનું મોત થયા હોવાના સમાચાર મળ્યા હતા. પોલીસે વૈશાલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. એવી આશંકા છે કે, વૈશાલીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હશે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં.

વૈશાલી બલસારા વલસાડ વિસ્તારની જાણીતી ગાયિકા કલાકાર હતી. પોલીસે વૈશાલીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત મોકલી આપ્યો છે. મૃતક વૈશાલી બલસારાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે હવે તપાસ શરૂ કરી છે. પોલીસ વૈશાલીના પરિવારના સભ્યો અને તમામ મિત્રોની પૂછપરછ કરી રહી છે.

આ સાથે જ પોલીસે મહિલા ગાયિકાના ઘરથી હત્યાના સ્થળ સુધીના રસ્તાના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વિસની પણ તપાસ શરૂ કરી છે. હત્યાના આ બનાવની તપાસ માટે પોલીસે અલગ-અલગ આઠ ટીમો પણ બનાવી છે.

વર્ષ 2011માં થયા હતા વૈશાલીના લગ્ન:
તમને જણાવી દઈએ કે, હિતેશ અને વૈશાલીના લગ્ન વર્ષ 2011માં થયા હતા. બંનેને એક પુત્રી પણ છે. જ્યારે હિતેશ બલસારાને તેની પહેલી પત્નીથી એક પુત્રી પણ હતી. હિતેશ અને વૈશાલી તેમની બે દીકરીઓ અને માતા-પિતા સાથે રહેતા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તેમજ એ પણ જાણવામાં આવી રહ્યું છે કે કાર કોની છે અને વૈશાલી અહીં શા માટે અને કેવી રીતે આવી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *