રામભક્તો માટે જાહેર હિતમાં ચેતવણી! અયોધ્યામાં શ્રીરામ મંદિર માટે દાન માગતી લિંકથી સાવધાન, સાયબર માફિયાઓ સક્રિય!

Cyber Crime: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ લલ્લાના જીવનનો અભિષેક થશે. જેને લઇ પુરજોશમાં તૈયારી ચાલી રહી છે.પરંતુ આ પહેલા ચીટર લોકો દ્વારા લોકોને છેતરવાની…

Cyber Crime: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ લલ્લાના જીવનનો અભિષેક થશે. જેને લઇ પુરજોશમાં તૈયારી ચાલી રહી છે.પરંતુ આ પહેલા ચીટર લોકો દ્વારા લોકોને છેતરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. જો કે રામ મંદિરના નામે એક નવું કૌભાંડ પણ શરૂ થયું છે જેમાં શ્રી રામનાથના નામથી પત્રકારની ઓળખ આપી સાયબર માફિયાએ ફેસબૂક પેજ બનાવ્યું અને ફેસબૂકના માધ્યમથી સાયબર માફિયા(Cyber Crime)એ રામ મંદિર ડોનેટ ફાઉન્ડેશનના નામથી મેસેજ FBમાં પોસ્ટ કર્યા.

લોકોને સાવચેત રહેવા માટે VHPની અપીલ
આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદની ચિંતા વધી ગઈ છે. કારણ કે હવે તેના નામે લોકો પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાએ VIP એન્ટ્રી માટે પણ લોકોને લાલચ આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ સાવધાન રહેવાની જરૂર છે.VHP પ્રવક્તા વિનોદ બંસલે આ અંગે ચેતવણી જાહેર કરી છે. આ સાથે તેમણે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ અપીલ કરી છે. કેટલાક સ્ક્રીનશોટ શેર કરતા તેણે લખ્યું કે રામ ભક્તો કન્ફ્યુઝ થઈ રહ્યા છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ સાથે તેમણે લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે. આવી સ્થિતિમાં, જો કોઈ તમારી પાસેથી આ માટે પૈસાની માંગ કરે છે, તો તમારે તરત જ સાવધ થઈ જવું જોઈએ.

અયોધ્યાના નામે વેચાઈ રહ્યો છે પ્રસાદ
અયોધ્યા અને શ્રી રામ લલ્લાના નામે ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ પ્રસાદ વેચાઈ રહ્યો છે. અહીં લોકો પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. જ્યારે તેનો અયોધ્યા અને રામલલા સાથે બિલકુલ સંબંધ નથી. ઘણા યુઝર્સ આ પ્રોડક્ટ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર વેચી રહ્યા છે. જો કે, આવી છેતરપિંડી રોકવા માટે સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે.

સાઇબર માફિયાઓ લોકોની આસ્થાનો ઉઠાવી રહ્યા છે લાભ
રિલના માધ્યમથી QR કોડ પોસ્ટ કરી ક્ષમતા પ્રમાણે ડોનેશનની માગ કરી. ત્યારે લોકોની આસ્થાનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સાયબર માફિયાઓ ત્રણ દિવસ પહેલા જ સાયબર માફિયાએ ફેસબુક પર બોગસ પેજ બનાવ્યું. પેજમાં રામ રાજ મંદિરમાં નોકરી કરતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ત્યારે વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભુસાળવકરનું સાવચેતીના ભાગરુપે નિવેદન સામે આવ્યું છે. આવા બોગસ પેજ પર લોકોએ વિશ્વાસ ન કરવો જોઇએ. કોઈ પણ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. સોશિયલ મીડિયામાં આવતા QR કોડને સ્કેન ન કરવો જોઈએ. લોકો તકેદારી નહિ રાખે તો સાયબર માફિયા બેંક ખાતું ખાલી કરી દેશે.

આ રીતે ઠગાઈથી બચો
અજાણી લિંક પર ન કરશો વિશ્વાસ
દાન અને પ્રસાદને લઇને છેતરાશો નહીં
કોઇ પણ પેજની સત્યતા ચકાસો
રામ મંદિરે દાન માટે કોઇ જાહેરાત નથી કરી
ઓનલાઇન પ્લેટફોર્મને ચકાસવા જોઇએ
QR કોડ સ્કેન કરવાથી બેંક એકાઉન્ટ થઇ શકે છે ખાલી
વોટ્સએપ પણ હેક થઇ શકે છે