અમિતાભ બચ્ચનની સાથે એવું તો શું કર્યું કે આ એક્ટરને કેટલીય ફિલ્મ ગુમાવવાનો વારો આવ્યો..   

પુનીત ઈસ્સારને આમ તો ઘણાં લોકો મહાભારતમાં આવનાર દુર્યોધન તરીકે ઓળખે છે, અને એમની લોકપ્રિયતા પણ એમાં જ છે, કે લોકો જયારે પણ દુર્યોધન શબ્દ સાંભળે એટલે તેમને પુનીત ઈસ્સાર જ દેખાઈ આવે છે. જાે, કે એક ઘટના એવી હતી, જેને લીધે તેમની જિંદગી ધાર્યા કરતા પણ ઘણી બદલાઈ ગઈ હતી.

તેમના કરિયર પર જાણે રોક લાગી ગઈ હોય. આ ઘટના બની હતી, મનમોહન દેસાઈની ‘કુલી’ ફિલ્મના સેટ પર. અમિતાભ બચ્ચન સાથેની ફાઈટ સીન પર પુનીત ઈસ્સારે ભૂલથી અમિતાભ બચ્ચનને જરા જાેરથી મારી દીધું હતું અને તેઓ ગંભીર રીતે ઘાયલ પણ થઈ ગયા હતાં.

અમિતાભ બચ્ચનની સ્થિતિ ખુબ ગંભીર બની ગઈ હતી અને આખો દેશ તેમના સાજા થવાને માટે પ્રાર્થના કરવા માંડ્યો હતો. હવે આ તો હતો એક અકસ્માત પણ લોકોને આ ઘટનાને માટે પુનીત ઈસ્સારને જ જવાબદાર ઠેરવવા માંડ્યા હતાં અને અમિતાભના ફેન્સ પણ તેમને ધિક્કારવા માંડ્યા હતાં. જાે, કે અમિતાભે ક્યારેય પણ આ દુર્ઘટનાને માટે ક્યારેય પણ પુનીત ઈસ્સારને જવાબદાર જ નહોતા ગણાવ્યા અને પછીથી કેટલાક મીડિયા ઈન્ટરવ્યુમાં પણ તેમણે એ ચોખવટ પણ કરી હતી.

પુનીત ઈસ્સારે એક ઈન્ટરવ્યુમાં જણાવતાં કહ્યું હતું, કે તેમને લગભગ 7-8 ફિલ્મો મળવાની હતી જે હાથમાંથી જતી રહી હતી. જાે, કે આ બાદ તેમને મહાભારતમાં કામ કરવાનો મોકો મળ્યો હતો અને તેમની કારકિર્દીમાં સારા દિવસો પણ પાછા ફર્યા હતાં. તેમને અગાઉ પણ ભીમનો રોલ ઑફર થયો હતો પરંતુ તેઓ દુર્યોધનનો રોલ કરવા માગતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *