Madhya Pradesh: જે દીકરાના અંતિમસંસ્કાર કરી પરિવાર ઘરે આવ્યો, એ જ દીકરો જીવતો દરવાજે ઉભો હતો!

મધ્યપ્રદેશ (Madhya Pradesh): સમગ્ર દેશ માંથી રોજે ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થાય છે. ઘણા એવા કિસ્સાઓ હોઈ છે જેને સાંભળીને દરેક લોકો આશ્ચર્યચક થઈ જતા હોઈ છે. આજે એક એવીજ ઘટના મધ્યપ્રદેશમાં આવેલા ગ્વાલિયર માંથી સામે આવી છે. આ કિસ્સો ખુબજ ચોકાવનારો છે. આ ઘટના સાંભળીને ભલભલાને આંખે અંધારા આવી જશે.

આ ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, દરગજમાં આવેલા નાગોજા રોડ ઉપર એક સોસાયટીમાં મોહિતકુમાર નામનો યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો. થોડાક દિવસો પહેલા મોહિત પોતાના ઘરેથી મંદિર જવા માટે નીકળ્યો હતો. મોહિત ઘરેથી ગયો તેને ખુબજ લાંબો સમય થયો હતો પરંતુ તે પરત ફર્યો નહી અને તેથી પરિવારના લોકોને તેની ચિંતા થવા લાગી.

ત્યાર બાદ પરિવારના લોકોએ મોહિતને શોઘ્વાનું શરુ કર્યું, તમામ સગા સંબંધીઓને અને મોહિતના મિત્રને ફોન કર્યો પણ મોહિત ક્યાં ગયો છે તે વિષે કોઈ માહિતી મળી નહી. મોહિતના સમાચારના મળતા પરિવારના લોકોએ પોલીસને સમગ્ર ઘટના વિષે જાણ કરી હતી.

પોલીસને ફરિયાદ કરતા કહ્યું કે, મોહિત ઘરેથી મંદિર જવા માટે ગયો હતો, પણ બે દિવસ વીતી ગયા તેમ છતાય તે ઘરે પરત આવ્યો નથી. પરિવારના લોકોને પોતાના દીકરાની ખૂબ જ ચિંતા થતી હતી કારણ કે, મોહિતને છાતીના ભાગે વાગ્યું હતું. પોલીસે ફરિયાદ નોધીને તરતજ મોહિતની શોધખોળમાં હાથ ધરી હતી.

મહારાજ વાડા પાર્ક પાસે ત્રણ દિવસ બાદ એક અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યું હતું. મોહિતને છાતીના ભાગે જે વગેલાનો નિશાન હતો તેવોજ નિશાન મૃતદેહના છાતીના ભાગે પણ હતો. તેથી પોલીસે  મોહિતના પરિવારજનોને મૃતદેહ ઓળખવ માટે બોલાવ્યા હતા.

છાતીના ભાગે વાગેલાનું નિશાન જોઈને પરિવારના સભ્યોએ કહ્યું હતું કે, આ મોહિતનો મૃતદેહ છે. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ પરિવારજનોને આપી દીધું. ત્યાર બાદ પરિવારના લ્કોએ મોહિતના અંતિમ સંસ્કાર કર્યા હતા. દીકરાના મોતના સમાચાર સાંભળીને પરિવાર અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અંતિમ સંસ્કારની તમામ વિધિ પૂરી કરીને જયારે પરિવાર ઘરે પરત ફર્યા ત્યારે ઘરના ગેટ પાસે પહોચીને તમામ પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા. પરિવારના લોકો જે દીકરાના અંતિમ સંસ્કાર કરીને આવ્યા હતા તે જ દીકરાને ઉભેલો જોઇને પરિવારના સભ્યો ખૂબ જ ડરી ગયા હતા.

મોહિતને ઉભેલો જોઇને પરિવારના સભ્યો ધીમે ધીમે મોહિતની નજીક ગયા અને તેને હાથ અડાડ્યો ત્યારે મોહિત બોલ્યો કે તમે શા માટે રડો છો..? માટે બધા શા મને અડકો છો..? ત્યાર બાદ પરિવારના લોકોએ સમગ્ર ઘટના વિષે મોહિતને કહ્યું અને ત્યારે મોહિતે કહ્યું કે તે થોડા દિવસ માટે તેના એક મિત્રના ઘરે ગયો હતો તે બોવ જ થાકી ગયો હતો અને તેથી તેમણે પરિવારના કોઈ પણ સંભ્યનો સંપર્ક કર્યો નહી.

પરિવારના લોકોએ જે વ્યક્તિને મોહિત સમજીને અંતિમ સંસ્કાર કર્યા હતા તે કોઈ અન્ય વ્યક્તિ હતો. ત્યાર બાદ પરિવારના લોક્કોએ તરતજ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *