અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આ જગ્યાએથી મંગાવવામાં આવશે ખાસ પ્રકારના પથ્થર

અયોધ્યામાં રામ મંદિર માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 5 ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું છે. ત્યાર બાદ હવે રામ…

અયોધ્યામાં રામ મંદિર માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 5 ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું છે. ત્યાર બાદ હવે રામ મંદિરનું કામકાજ શરુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હાલમાં અદ્રેક લોકોના મનમાં એક સવાલ થઈ રહ્યો હશે કે, રામ મંદિરના નિર્માણ માટે કયાં પત્થરોની પસંદગી કરવામાં આવી છે અને તે પત્થરો કયાંથી આવે છે. તો અમે અહી તમને આજે તેના વિષે જણાવવા જે રહ્યા છીએ.

ખરેખર, રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં સ્થિત બાયનામાં રામ મંદિર બનાવવા માટે પથ્થરો કાપવા અને કોતરણી ફરી શરુ કરવામાં આવી ગઈ છે. અયોધ્યામાં રામલાલાનું મંદિર રાજસ્થાનથી જ પત્થરોથી બનાવવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આ સ્થાનના પત્થરોની પસંદગી કરવામાં આવી છે.

ભરતપુરના બંશી પહરપુરના પત્થરો
એવું માનવામાં આવે છે કે, તેની ગુણવત્તા ખૂબ સારી છે. ઉપરાંત, તે લાંબા સમય સુધી ચમકતા રહે છે. એટલું જ નહીં, ભરતપુરથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે મોટી સંખ્યામાં પથ્થર લાવવામાં આવ્યા છે. ભરતપુરના રૂડાવલ વિસ્તારમાં આવેલ બંશી પહરપુરનો પથ્થર અગાઉ ઘણા પ્રાચીન ઇમારતોના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવ્યો છે.

બંસી પહરપુરથી નીકળેલા પથ્થરની ઉંમર આશરે 5000 વર્ષ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, આ પત્થરો પરના પાણીને લીધે, તે વધુ સ્પાર્કલિંગ બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *