સુરત પાલિકાએ જગ્યા આપી હતી તે કિરણ હોસ્પટલમાં વિજિલન્સ તપાસની માંગ

સુરત મ્યુનિ.એ 500 કરોડની જગ્યા પાટીદાર ટ્રસ્ટને આપી છે તે જગ્યાની માલિકી મ્યુનિ.ની રહેશે તેવા ઠરાવવાળી હોસ્પીટલમાં  સરકારના મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ માટે સસ્પેન્ડ…

સુરત મ્યુનિ.એ 500 કરોડની જગ્યા પાટીદાર ટ્રસ્ટને આપી છે તે જગ્યાની માલિકી મ્યુનિ.ની રહેશે તેવા ઠરાવવાળી હોસ્પીટલમાં  સરકારના મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ માટે સસ્પેન્ડ કરાયા બાદ હોસ્પિટલમાં વિજિલન્સ તપાસની માંગણી કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાએ સમસ્ત પાટીદાર સમાજ સુરતની રજુઆત બાદ કતારગામ ટી.પી. સ્કીમ નંબર-3 ફાઈનલ પ્લોટ નંબર એમ.-6 સેકન્ડરી સ્કુલ વાળી જગ્યા રાહત દરની હોસ્પીટલ બનાવવા માટે વાર્ષિક એક રૃપિયા ટોકન દરે આપી હતી. સામાન્ય સભાના ઠરાવ  મુજબ મકાનનો ઉપયોગ રાહત દરની હોસ્પીટલ તરીકે કરવાનો તથા સંસ્થા જે મકાન બનાવશે તેની માલિકી સુરત પાલિકાની રહેશે.

ચાર વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખૂલ્લી મુકાયેલી કિરણ હોસ્પીટલમાં સરકારની પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના આયુષ્માન ભારત અને માં કાર્ડ યોજનાનો સમાવેશ કરવામા આવ્યો હતો. પરંતુ હોસ્પીટલમાં યોજના હેઠળ આવતા દર્દીઓની સારવાર યોગ્ય ન થતી હોવાની ફરિયાદ બાદ ગુજરાત સરકારના આરોગ્ય  વિભાગ દ્વારા કિરણ હોસ્પીટલને સરકારના  કાર્ડની યોજના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

સરકારના  નિર્ણય બાદ કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મ્યુનિ. કમિશ્નરને પત્ર લખીને કિરણ હોસ્પટલમાં રાહત દરની સારવારના નામે ગેરરીતી અને ભ્રષ્ટાચાર થયો હોવાથી વિજીલન્સ તપાસની માગ કરી છે. હોસ્પીટલની જગ્યા પાલિકાની માલિકીની હોય તેમાં આ ગેરરીતી થઈ હોવાથી પાલિકાની પણ જવાબદારી હોવાનુ જણાવીને તપાસ કરીને ગેરરીતી કરનારી હોસ્પીટલ સામે પગલાં ભરવાની માગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *