પત્ની અને ચાર દીકરીઓને નોંધારી છોડી પિતાનો આપઘાત, સુસાઈડ નોટમાં જણાવ્યું મોતની ધ્રુજાવી દેતું કારણ

Man suicide in Jaisalmer: જેસલમેરથી આપઘાતનો મામલો સામે આવ્યો છે. યુવકની (Man suicide) બોડી ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવી છે. યુવક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેને 7 લોકોનું નામ લખ્યું છે જેના કારણે તે આપઘાત નું કારણ જણાવ્યું છે, અને મૃતક (Man suicide) અપીલ કરી છે કે તેની પત્ની અને 4 પુત્રીઓને ન્યાય આપવામાં આવે.

યુવકે વોટ્સએપ પર એક સુસાઈડ નોટ બનાવી હતી, ત્યારબાદ પરિવારજનોએ તેની શોધખોળ કરવાનું ચાલુ કર્યું હતું. મંગળવારે સાંજે તેની બોડી ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. માહિતી મળતાં પોલીસે બોડીને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોએ અડીખમ રહ્યા હતા.

તેમનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરે. મોહનગઢ પોલીસ સ્ટેશનમાં 7 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાયા બાદ મૃતકના સંબંધીઓ શબઘર બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બુધવારે પણ તેમણે મૃતદેહનો અગ્નિસંસ્કાર કર્યો ન હતો.

મૃતક ગોપીરામ કે જેમની ઉમર 38 કે જે જેસલમેરના મોહનગઢ વિસ્તારના સુથાર મંડીમાં રહેતા હતા. તેના મોટા ભાઈ ઘેવરચંદે પોલીસને જણાવ્યું કે ગોપીરામે સુથાર મંડીમાં 13 દુકાનો ખરીદી હતી. તેમાંથી તેણે 10 દુકાનો વેચી. ખરીદનારાઓમાં તે જ સ્થળના રહેવાસીઓ અચરખાન, નિઝામ ખાન વગેરેનો પણ સમાવેશ થાય છે જેમના નામ સુસાઈડ નોટમાં લખેલા છે. બાકીની 3 દુકાનો ગોપીરામ અન્ય કોઈને આપી રહ્યો હતો.

ત્યારબાદ આ લોકોએ તેને ધમકી આપી કે બાકીની 3 દુકાનો પણ અમને વેચવી પડશે. જૂના દરે જ ચૂકવણી કરવી પડશે, અન્યથા તેઓ અન્ય કોઈને તેને વેચવા દેશે નહીં. જ્યારે ગોપીરામે દુકાનોનો સોદો કર્યો હતો. આવી સ્થિતિમાં આ ગુંડાઓએ રોજેરોજ ગોપીરામને હેરાન કરવાનું શરૂ કર્યું. જેના કારણે ગોપીરામે આત્મહત્યા કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *