કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે મેહુલ બોઘરા? AAPમાં મેહુલ માટે બધા દરવાજા ખુલ્લા

સુરત(Surat): શહેરમાં થોડા દિવસ પહેલા સામાજિક કાર્યકર અને વકીલ મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA) પર જીવલેણ હુમલાનો વિડીયો ફરતો થયો હતો. જણાવી દઈએ કે, આ હુમલો…

સુરત(Surat): શહેરમાં થોડા દિવસ પહેલા સામાજિક કાર્યકર અને વકીલ મેહુલ બોઘરા(ADV MEHUL BOGHARA) પર જીવલેણ હુમલાનો વિડીયો ફરતો થયો હતો. જણાવી દઈએ કે, આ હુમલો કથિત TRB (ટ્રાફિક જવાન) સુપરવાઇઝર સાજન ભરવાડ(Sajan Bharwad) દ્વારા કરવામાં આવ્યો હતો.

આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા એડવોકેટ મેહુલ બોઘરા અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકારણમાં પ્રવેશની પ્રબળ શક્યતાની ચર્ચાઓ પર હાલ તો એડવોકેટ મેહુલ બોઘરાએ અલ્પવિરામ મૂકી દીધું છે. હમણાં રાજકારણમાં નહિ આવવાની સાથે મેહુલ બોઘરાએ એવી પણ ચોખવટ કરી છે કે, લોકો કહેશે ત્યારે રાજકારણમાં ચોક્કસપણે પ્રવેશ કરીશ. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ (AAP) મેહુલ બોઘરાને પોતાની પાર્ટીમાં સામેલ કરવાની જ નહીં, પરંતુ ચૂંટણી લડાવવાની પણ તૈયારી કરી લીધાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

મેહુલ બોઘરા માટે AAPમાં લાલ જાજમ:
AAPના પ્રવક્તા ઉપરાંત ઉચ્ચ સ્તરીય પાર્ટી સુત્રોના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલ આવશે તેવા કોઈપણ પ્રસંગે મેહુલ બોઘરાનું સન્માન કરવામાં આવશે. સાથે સાથે AAPમાં મેહુલ બોઘરાનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે. જોકે અત્યારે પણ એડવોકેટ મેહુલ બોઘરા એક રીતે ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ છેડીને AAPની વિચારધારા મુજબ જ કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

મેહુલ બોઘરા AAPની વિચારધારા મુજબ કામ કરી રહ્યા છે: યોગેશ જાદવાણી, AAP પ્રદેશ પ્રવક્તા
AAPના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવતા કહ્યું છે કે, મેહુલ બોઘરાની ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં આમ આદમી પાર્ટી તેની સાથે છે. રાજકીય પ્લેટફોર્મ માટે મેહુલ બોઘરા AAPમાં આવે. ભ્રષ્ટાચાર સામે લડનારને AAP રાજકીય પ્લેટફોર્મ પૂરું પાડશે. 

રાજકારણમાં આવવાને લઈને મેહુલ બોઘરાએ જાણો શું કહ્યું?
વકીલ મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું હતું કે, મેહુલ બોઘરા રાજકારણમાં તો આવશે એ 100 ટકાની વાત છે. મને ખોટું બોલતા આવડતું નથી. રાજકારણી તો બનવાનો છું પણ આવો નથી બનવાનો જે હાલમાં નેતાઓ હોય છે. વધુમાં ઉમેરતા કહ્યું છે કે, જેનામાં આત્મવિશ્વાસ નથી, જેને ખાલી બોલ બચ્ચન કરવા છે એવા બધા રાજકારણમાં આવીને બની બેઠા છે, તો મારા માં તો જુસ્સો છે, દેશ માટે કઈ કરવાની ભાવના છે, રાષ્ટ્રપ્રેમ છે તો હું રાજકારણમાં કેમ ના આવી શકું? પરંતુ આગામી સમયમાં જે ઈલેક્શનો આવવાના છે તેને લઈને હાલ મારી કોઈ તૈયારી નથી.

રાજકારણમાં કોઈ પાર્ટી નક્કી ના હોય કે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી. મેહુલ બોઘરા પોતાની પાર્ટી પણ બનાવે, અપક્ષમાં પણ લડે એ કોઈ વસ્તુ હાલ માં છે નહી, આ બધા ભવિષ્યના પ્લાનિંગ છે. ભવિષ્યમાં લોકોનું સમર્થન હશે, લોકચાહના હશે ત્યારે મેહુલ બોઘરા ચોક્કસ રાજકારણમાં આવશે.

વધુમાં જણાવતા કહ્યું છે કે, આમ આદમી પાર્ટીમાં જોડાવવાની અત્યારે કોઈ સંભાવના નથી અને ભવિષ્યમાં પણ મને એવું લાગતું નથી. તમામ પાર્ટીઓનો પોલીટીકલ સપોર્ટ હોય છે. રાજકારણમાં ત્રણ પાર્ટીઓ જ છે તેવું નથી, અલગ પાર્ટી પણ બને, અપક્ષમાંથી પણ લડાઈ, પરંતુ લોકચાહના હશે તે પ્રમાણે મેહુલ બોઘરા આગળ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *