અંધશ્રદ્ધાએ લીધો અબોલ પશુઓનો જીવ: ચોટીલામાં શ્રદ્ધાના નામે 1 પાડો અને 30 બોકડાની બલિ ચડાવાઈ

અંધશ્રદ્ધામાં શું દેવી-દેવતાઓ અબોલ પશુઓના બલિદાનથી ખુશ છે? હિંદુ ધર્મમાં મોટાભાગના લોકો કાલી દેવીના મંદિરોમાં અથવા ભૈરવના મઢોમાં પ્રાણીઓના બલિદાન આપે છે. અને આવા લોકો…

અંધશ્રદ્ધામાં શું દેવી-દેવતાઓ અબોલ પશુઓના બલિદાનથી ખુશ છે? હિંદુ ધર્મમાં મોટાભાગના લોકો કાલી દેવીના મંદિરોમાં અથવા ભૈરવના મઢોમાં પ્રાણીઓના બલિદાન આપે છે. અને આવા લોકો માને છે કે, પ્રાણીઓનું માંસ ખાવાથી અથવા લોહી પીવાથી માતા કાલી ખુશ છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે, માતા, જે ભગવાન અને વિશ્વના જીવોની પાવર શક્તિ ઉત્પન્ન કરે છે અને તેનું પાલન કરે છે, શું માતા તેના બાળકોનું લોહી અને માંસ પી શકે છે?

આવી જ એક ઘટના ગુજરાતમાં આવેલ ચોટીલાના ભેટસુડા ગામમાં બની છે. દેવી-દેવતાઓ માટે પશુઓની બલી ચડાવાતી હોવાની એક યુવાને જાથાના કાર્યાલયે માહિતી આપી હતી. આ ગંભીરતા લઇને વિજ્ઞાન જાથા દ્વારા જિલ્લા પોલીસ કંટ્રોલને 2 વાર વાકેફ કરવામાં આવ્યા હોવાનું તેમજ નાની મોલડી પોલીસની નિષ્ક્રિયતાના આક્ષેપો સાથે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવામાં આવ્યુ હતુ કે, 4 હજાર શ્રદ્ધાળુઓની હાજરીમાં પોલીસ ભયભીત થઇ પરત ફરી હતી. પરિણામે ચોટીલાના ભેટસુડા ગામમાં માનતા નામે એક પાડો અને 30 બોકડા જેવા નિર્દોષ પશુએ જીવ ગુમાવ્યા હતા.

ઉચ્ચકક્ષાએ રજૂઆતો સાથે જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે, આજે પણ માનતા, રિવાજના નામે પશુની હત્યા થાય છે તે શરમજનક છે. આ બાબતે ભારત જન વિજ્ઞાન જાથાના કમલભાઇ ભટ્ટ, હિતેશભાઇ દવે, ગુલાબસિંહ ચુડાસમા, અલ્પેશભાઇ શર્મા, એસ.આર.દવે, ઉમેશભાઇ રાવ સહિતનાઓએ ચોટીલાના ભેટસુડા ગામે પશુ બલી કિસ્સામાં નાની મોલડી પોલીસ સ્ટેશનની શંકાસ્પદ ભુમીકાની તપાસ કરવા કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યુ હતુ.

અત્રે ઉલેખનીય છે કે, માતા માતા હોય છે. જેવી રીતે એક સામાન્ય માનવી માતા પોતાના બાળકને થતી સહેજ ઇજાને કારણે વેદનાથી છલકાઈ જાય છે અને માતાની બધી કરુણા તેના પ્રિય બાળકને આવે છે, તેવી જ રીતે વિશ્વની માતા કાલી પ્રત્યેની કરુણા, દયા અને પ્રેમની શ્રદ્ધા તે કેવી રીતે કરી શકે છે. માતા કાળી તેના નિર્દોષ બાળકોનું લોહી પીવાથી ખુશ થઈ શકે છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *