જામનગરમાં યુપી-બિહાર જેવી ઘટના: ધોળા દિવસે 11માં ધોરણના વિદ્યાર્થીનું અપહરણ બાદ હત્યા, CCTV થી ફૂટ્યો ભાંડો

Jamnagar murder case: જામનગરમાં એક યુવક અપહરણ કરાયા પછી તેની હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ઉઠ્યો છે. મળતી માહિતી અનુસાર, ધોળા દિવસે 11માં ધોરણના વિદ્યાર્થીનું બાઇક પર અપહરણ કર્યા પછી તેની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. પહેલા આ વિદ્યાર્થીના અપહરણને લઈ અફરાતફરીના (Jamnagar murder case) માહોલ વચ્ચે પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી. ત્યારપછી પોલીસે CCTV કેમેરા ચેક કર્યા પછી આરોપીઓને ઝડપી પાડવા કવાયત કરી હતી. ત્યારપછી એક અવાવરુ જગ્યાએથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા પરિવારના લોકો ભાંગી પડ્યા હતા. આ તરફ હવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો ?
જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડીંગ નંબર 15માં બ્લોક નંબર 302માં રહેતા અને કેટરર્સ તરીકે નોકરી કરી રહ્યા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયાના 17 વર્ષના પુત્રનું કાલે અપહરણ કરવામાં આવ્યું હતું. વિગતો અનુસાર ગઈકાલે બપોરે 01:00 વાગ્યે 11માં ધોરણમાં અભ્યાસ કરતો ગોપાલભાઈનો પુત્ર સ્કૂલે જવા માટે નીકળ્યો હતો.ત્યારપછી આ વિદ્યાર્થી એકાએક લાપતા થઈ ગયો હતો.

પોલીસે તપાસ્યા CCTV અને પછી..
અને બીજી તરફ પરિવારના લોકો દ્વારા ભારે શોધખોળ થયા પછી પણ તેનો કોઈ પતો નહીં લગતા આખરે સીટી એ. ડિવિઝન નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં અપહરણ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને બીજી તરફ પોલીસ દ્વારા મામલાની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી. જ્યાં મોહન નગર આવાસના બિલ્ડીંગના CCTV કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં બાળકનું અપહરણ કરી લેવાયું હોવાનું ધ્યાનમાં આવી રહ્યું હતું.

અવાવરૂ જગ્યા પાસેથી મૃતદેહ મળ્યો
અને બીજી તરફ CCTV આધારે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી હતી. અંતે બાળકને અપહરણ કરી જનારના ફૂટેજના આધારે તેમની ઓળખ મેળવી લેવામાં આવી હતી અને અપહરણ કરનાર અને બાળકને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન સુવરડા ગામ નજીક આવેલ અવાવરૂ જગ્યા પાસેથી મૃતદેહ મળ્યો હતો. ઘટનાને લઈ પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *