એક યુવકે અને ૪૫ વર્ષીય આધેડે અમદાવાદ સાબરમતીમાં ઝંપલાવી પડતું મુક્યું

આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. એવામાં હાલ આપઘાતની વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં સાબરમતી નદી (Sabarmati river)માં ખોડિયારનગર (Khodiyarnagar)ના યુવકે…

આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જણાઈ રહી છે. એવામાં હાલ આપઘાતની વધુ એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં સાબરમતી નદી (Sabarmati river)માં ખોડિયારનગર (Khodiyarnagar)ના યુવકે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો, જ્યારે ચાંદખેડા (Chandkheda)ના તળાવમાં એક 45 વર્ષીય પુરુષે કૂદી આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તેમજ હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ખોડિયારનગરના ચામુંડાનગરના છાપરાંમાં રહેતા 21 વર્ષીય પ્રકાશ પરમારે ગુરુવારે સાંજે આંબેડકર બ્રિજ નીચે રિવરફ્રન્ટ વોકવેથી સાબરમતીમાં કૂદી આત્મહત્યા કરી લીધી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ થતા પ્રકાશના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. આ અંગે રિવરફ્રંટ વેસ્ટ પોલીસે અકસ્માતે મોત નોંધ્યું છે. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સિવાય વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં ચાંદખેડાના અશોક આવાસમાં રહેતા 45 વર્ષીય પ્રદીપ વાઘેલાએ શુક્રવારે સાંજે ચાંદખેડા સ્મશાનગૃહ પાસે આવેલા તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ મામલે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોત નોંધી પ્રદીપ વાઘેલાએ કયા કારણોસર આપઘાત કરી તે જાણવા તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *