અચાનક પસ્તીની દુકાનમાં લાગી ભયંકર આગ, 10 વર્ષના બાળક સહીત ત્રણના મોત- જાણો કયાની છે ઘટના

દિલ્હીના કીર્તિ નગર વિસ્તારમાં આવેલ એક પસ્તીની દુકાનમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોની ઓળખ રોહિત, સંજય અને…

દિલ્હીના કીર્તિ નગર વિસ્તારમાં આવેલ એક પસ્તીની દુકાનમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોની ઓળખ રોહિત, સંજય અને રાજેશ તરીકે થઈ હતી.

મળતી માહિતી મુજબ, ઘટનાની માહિતી મળતાં ફાયર વિભાગના 7 વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પસ્તીની દુકાનમાં ઉપર 5 ઓરડાઓ પણ હતા, જેમાં અકસ્માત સમયે 13 લોકો હાજર હતા. છત પર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં સ્થાનિકોએ સંયુક્ત રૂપે રૂમની દિવાલ તોડી નાખી હતી. પરંતુ તે પછી લોખંડના ગાર્ર પર રહેલી સાગની છત નીચે પડવા લાગી હતી.

આવી સ્થિતિમાં લોકો છત પરથી કૂદી પડ્યા હતા. આ દરમિયાન રોહિતનું ગટરમાં પડવાથી મોત નીપજ્યું હતું. જ્યારે સચિન અને રાજેશને આગમાં પડવાથી તેનું પણ મોત નીપજ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાવાયું છે. બનાવથી જ પસ્તીની દુકાનનો માલિક ટોની મહાતો ફરાર છે. પોલીસ તેની ધરપકડ કરવા દબાણ કરી રહી છે.

સ્થળ પર ફાયરના જવાનોએ લગભગ 2 કલાક બાદ આગને કાબુમાં લીધી હતી. આ દરમિયાન સચિન અને રાજેશની લાશ જોવા મળી હતી. શરીર એટલું બળી ગયું હતું કે, તેની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. રાજેશ 10 વર્ષનો હતો અને તેણે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. જ્યારે સચિન 27 વર્ષનો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *