હાઈકોર્ટનાં ચુકાદા બાદ શ્રીરામ જન્મભૂમી અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થવાં માટે જઈ રહ્યું છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે. અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે લોકોની આસ્થા એવી જોડાયેલી છે કે, તે પોતાનું બધુ જ આપી દેવા તૈયાર છે. આવું જ એક ઉત્તમ ઉદાહરણ હૃષિકેશમાં પણ જોવા મળ્યું છે.
60 વર્ષોથી ગુફામાં રહીને જીવન પસાર કરનાર સંત શંકર દાસે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. લોકો તેમને ફક્કડ બાબાના નામથી જાણીતાં બન્યાં છે. ફક્કડ બાબા ઋષિકેશ સ્ટેટ બેંકની શાખામાં ગુરવારે પહોંચ્યા હતા તેમજ રામ મંદિર નિર્માણ માટે 1 કરોડનો ચેક બેંક કર્મચારીઓને આપવામાં આવ્યો હતો.
બેંકના કર્મચારીઓને એક સમયે તો વિશ્વાસ થયો ન હતો. કર્મચારીઓએ જ્યારે ખાતાની તપાસ કરવામાં આવી તો 83 વર્ષીય સ્વામી શંકર દાસના એકાઉન્ટમાં રકમ હતી. બાબાએ પોતાના જીવનભરની કમાણીના પૈસા અયોધ્યામાં બનનાર રામમંદિરના નિર્માણ માટે દાનમાં આપી દીધા હતા.
ફક્કડે બાબાએ જણાવ્યું હતું કે, તેના જીવનનું ધ્યેય આજે પૂર્ણ થયું છે. ફક્કડ બાબા, ટાટ વાળા બાબાના શિષ્યના રૂપમાં ગુફાઓમાં જીવન પસાર કરી રહ્યા છે. ટાટ વાળા બાબાને મળનાર લોકો પાસેથી દાનમાં મળનાર રકમને બાબાએ રામમંદિર માટે દાન કરી દેવામાં આવી છે. સ્ટેટ બેંકના કર્મચારીઓએ હૃષિકેશમાં RSS પદાધિકારીઓ ને તરત જાણ કરવામાં આવી હતી.
હૃષિકેશ ક્ષેત્રના રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના નગર કાર્યવાહ કૃષ્ણ કુમાર સિંઘલે બેંકમાં પહોંચીને બાબા શંકર દાસને મળી આ ચેક રામ મંદિરના ખાતામાં જમા કરાવ્યો હતો. ફક્કડ બાબા આ દાનને ગુપ્ત રાખવા માંગતા હતા પરંતુ પદાધિકારીઓ વાત કરી ત્યારે બાબાએ ચેક આપતો એક ફોટો પડાવવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle