જામનગરમાં જળબંબાકાર: કોઈએ ખભા પર તો કોઈએ સામા પ્રવાહમાં જઈ લોકોને બચાવ્યા- જુઓ દિલધડક રેસ્ક્યૂ વિડીયો

જામનગર(ગુજરાત): ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. તેવામાં જામનગરમાં ભારે વરસાદને કારને પુરની સ્થિતિ સર્જાઈ છે. ગત રાત્રિએ જામનગર જિલ્લાના કાલાવાડ અને જામનગર તાલુકામાં…

જામનગર(ગુજરાત): ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. તેવામાં જામનગરમાં ભારે વરસાદને કારને પુરની સ્થિતિ સર્જાઈ છે. ગત રાત્રિએ જામનગર જિલ્લાના કાલાવાડ અને જામનગર તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.

જામનગર જિલ્લાનાં અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં સેંકડો લોકો ત્યાં ફસાયા ગયા છે. ગામમાંથી બહાર નીકળવાના રસ્તા પર જ પાણી ભરાતા લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમો કામે વળગી ગઈ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા, જોગવડ, વોડીસંગ, ધુડશિયા, કોંજા, અલિયાબાડા, ધુંવાવ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ રેસ્ક્યૂની કામગીરી જોરશોરમાં શરુ થઇ ગઈ છે.

ધોધમાર વરસાદને કારણે કાલાવડ તાલુકામાં નદીઓ ગાંડીતૂર બનતાં અલિયાબાડા ગામમાં પૂર જોવા મળ્યું હતું. અલિયાબાડા ગામમાં ઘરનાં એક-એક માળ પાણીમાં ડૂબી જતા લોકો જીવ બચાવવા ઘરની છત પર ચઢી ગયા હતા નદીકાંઠા નજીકમાં કેટલાક લોકો ફસાયા હોય અને પાણીનો સ્તર વધી રહ્યો છે, સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા 25 લોકોનું દિલધડક રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોના જીવ બચાવ્યા હતા.

જામનગર નજીક આવેલા ધુંવાવા ગામમાં પણ ભયંકર સ્થિતિ જોવા મળી હતી. નદીના પાણી ગામની અંદર ઘૂસી જતાં ગામની પચાસ ટકા વસતિ પૂરના પાણીમાં ફાડી ગઈ હતી. ગામલોકો દ્વારા પાણીની વચ્ચે ફસાયેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થાની માંગ કરવામાં આવી હતી. ખોડિયાર મંદિર નાગેશ્વર નદીના કાંઠા પર જ આવેલું છે.

રાત્રિના સમયે નાગમતી-રંગમતી નદીમાં ઘોડાપૂર આવતાં મંદિર આસપાસ પૂરનાં પાણી ફરી વળ્યા છે. અડધું પાણીમાં મંદિર પણ ડૂબી ગયું છે. ત્યાં 5 થી 6 જેટલા લોકો છત પર ફસાઈ ગયા હતા. જેઓ દ્વારા વીડિયો વાઈરલ કરી મદદની માગ કરી છે.

જામનગર શહેરના ભોઈવાડા વિસ્તારમાં ધુંવાવના નાકા પાસે નાગમતી-રંગમતી નદીનાં પાણી ફરી વળતાં રહેણાક વિસ્તારમાં 10 ફૂટ કરતાં પણ વધુ પાણી ભરાઈ ગયા છે. હાલ અહીંથી પણ બોટ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ કરી છે.

એરફોર્સનાં 4 હેલિકોપ્ટરની મદદ જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે લેવામાં આવી છે. ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે અસર પામેલાં 3 ગામના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તરત મદદ અને સહાય પહોંચાડવા, સલામત સ્થળે ખસેડવા તેમજ એરલિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટરને સૂચનાઓ આપી હતી. હાલ બાંગામાંથી 6થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા છે તેમજ હજુ પણ જામનગરના ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ એરલિફટની કામગીરી શરુ કરી છે.

જામનગર નજીક ધુંવાવ ગામમાં પૂરના પાણી ફરી વળતાં SDRFની ટીમ અહીં કામે લગાડવામાં આવી છે. NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ જામનગર જિલ્લાના કાલાવડ અને જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પૂરની સ્થિતિના કારણે NDRFની ટીમેં પણ બચાવની કામગીરી શરુ કરવા લાગ્યા છે. વડોદરા NDRFની ટીમ દ્વારા જામનગરના કાલાવડ તાલુકાના પંજેતન નગરમાં રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરીને કુલ 31 લોકોને સલામત સ્થળે પહોચાડ્યા હતા. જવાનો દ્વારા હાલ પણ બચાવ કામગીરી યથાવત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *