શ્રદ્ધાળુઓથી ભરેલી જીપને ટ્રકની ગંભીર ટક્કર લગતા ચાર લોકોના ઉડી ગયા પ્રાણ પંખીડા- ‘ઓમ શાંતિ’

મધ્યપ્રદેશ: અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. તે દરમિયાન લાખો લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. તેવામાં ફરી એક વખત રીવા શહેર(The city of Rewa)ના ચોરહટા પોલીસ સ્ટેશન(Chorhata police station)ના કિતવરીયા બાયપાસ(Kitwariya bypass) પર એક ભયાનક માર્ગ અકસ્માત(Road accident)માં 4 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. મૃતક અને ઘાયલ રાયસેનના સુલતાનપુરના રાજવંશ પરિવારના છે. આ તમામ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી પરત ફરી રહ્યા હતા.

તેના ટવેરાને સામેથી આવતી ટ્રકે ટક્કર મારી હતી. આ દરમિયાન ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે સંજય ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જીપમાં મૃતદેહો ખરાબ રીતે ફસાયેલા હતા. ગેસના કટરથી જીપના શરીરને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર પ્રયાગરાજથી રાયસેનમાં તેમના ઘરે પરત ફરી રહ્યો હતો. શુક્રવારની મધ્યરાત્રિએ, સામેથી આવતી એક ટ્રક રીવાના NH 30 બાયપાસમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ હાહાકાર મચી ગયો હતો. ત્યારબાદ રાત્રે પેટ્રોલિંગ કરતા બૈકુંઠપુર પોલીસ સ્ટેશનના પ્રભારી રાજકુમાર મિશ્રાએ ચોરહાટા પોલીસને માહિતી આપીને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

ચોરહાટા પોલીસ સ્ટેશનના પ્રભારી વિદ્યાવારિધ તિવારીએ જણાવ્યું હતું કે, 4 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ત્રણ લોકોને SGMH માં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં વૈશાલી વંશકર જેમની ઉંમર 14, શશી વંશકર જેમની ઉંમર 50, વિનોદ વંશકર જેમની ઉંમર 30, મયંક વંશકર જેમની ઉંમર 17નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જ્યારે કમલેશ વંશકર જેમની ઉંમર 45, વંશકર જેમની ઉંમર 28, ઉષા વંશકર જેમની ઉંમર 45 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત તમામ લોકોને પોલીસે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ગુનો નોધીને ટ્રક ચાલકની શોધખોળ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *