હજુતો હાથની મહેંદી પણ નહોતી સુકાઈને પતિએ આપ્યું દર્દનાક મોત- જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

આજકાલ હત્યાના કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે. તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે લોકો એક-બીજા પર શંકા કરવી અથવા એક બીજા પર વિશ્વાસ ન હોવો. જેનાથી આક્રોશમાં આવીને લોકો હત્યા કરવાની કોશિશ કરે છે.

એક કિસ્સો નજરે આવ્યો છે જેમાં એક પરણીત યુવતી મોડી રાત્રે કોઈ બીજા વ્યક્તિ સાથે વાત કરી રહી હતી. ત્યારે પતિએ તેની પત્ની પર ચારિત્ર્ય બાબતે શંકા કરી અને તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. આ ઘટનાની જાણ થતા જસદણ પી.આઇ. કે.જી. રાણા સહિતનો સ્ટાફ ઘટના તરત જ પહોચીને તપાસ કાર્ય ચાલુ કર્યું. અને મૃતદેહને જસદણ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો.

આ કિસ્સો જસદણના ગઢડીયા રોડ પર સુર્યવંદના સોસાયટીમાં બન્યો હતો. આ પરણિતાનું નામ આશીયાનાબેન પઠાણ હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. તેનું પીયર ભાવનગર જિલ્લાના રંધીળા તાલુકાના ગઢુલા ગામે આવેલ છે. ઘટનાની જાણ થતા તેના પિતા જસદણ દોડી આવ્યા હતા અને યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ ,આશીયાનાબેન પઠાણ રાત્રીના સમયે અજાણ્યા યુવક સાથે ફોન પર વાતચીત કરતી હતી અને તે જ સમયે તેનો પતિ મમદશા પઠાણ ત્યાં આવ્યો અને તેમ છતાં આશિયાનાએ ફોન પર વાત ચાલુ રાખી. ત્યારે ગુસ્સામાં આવેલા પતિએ પત્નીનું ગળું દબાવીને મારી નાખી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પરિણીતાના પિતા દ્વારા નોંધાયેલ ફરિયાદને આધારે ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે. માહિતી મુજબ , તેમના લગ્નને હજુ 4 મહિના જ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *