આમ આદમી પાર્ટી છોડનારા કોર્પોરેટરે કેજરીવાલ ના ગુજરાત આગમન પહેલા ફરી એક વાર કર્યો પક્ષ પલટો

આમ આદમી પાર્ટી માટે સુરતમાંથી એક રાહતના સમાચાર આવી રહ્યા છે. તેઓના વધુ એક પક્ષ પલટુ કોર્પોરેટર ઘર વાપસી કરી રહ્યા હોવાની જાણકારી સામે આવી…

આમ આદમી પાર્ટી માટે સુરતમાંથી એક રાહતના સમાચાર આવી રહ્યા છે. તેઓના વધુ એક પક્ષ પલટુ કોર્પોરેટર ઘર વાપસી કરી રહ્યા હોવાની જાણકારી સામે આવી છે. સોશિયલ મીડિયામાં આ કોર્પોરેટરને શુભેચ્છા આપવા માટે પોસ્ટ વાઇરલ થઇ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં આમ આદમી પાર્ટી છોડી ને 6 જેટલા નગરસેવકો ભારતીય જનતા પાર્ટીમાં જ જોડાઈ ગયા હતા. જેમાના એક થોડા દિવસ બાદ પાછા આમ આદમી પાર્ટીમાં પરત ફર્યા હતા આ કોર્પોરેટર મનીષા કુકડીયા છે. જ્યારે હવે વધુ એક કોર્પોરેટર ઘર વાપસી કરી રહ્યા છે. મળતી જાણકારી અનુસાર કુંદન કોઠીયા આમ આદમી પાર્ટીમાં પરત ફર્યા છે.

એક તરફ ભારતીય જનતા પાર્ટી અલગ-અલગ પક્ષના નેતાઓને પોતાના માં ખેંચી લાવવા પુરજોશથી લાગી છે. ત્યારે બીજી તરફ હોય ભાજપમાં જઈને જ ગૂંગળામણ થાય છે અને બોલી શકતા નથી તેવા દાવા સાથે પરત પોતાના પક્ષમાં જઈ રહ્યા છે. કુંદન કોઠીયા સુરતના વોર્ડ 4 ના કોર્પોરેટર છે.

ઉલ્લેખનીય છે કે કુંદનબેન કોઠીયા દ્વારા હજી ચાર દિવસ અગાઉ જ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સાથે ભોજન સાથે બેઠક કરી હતી. ત્યારે હવે અચાનક તેઓએ પોતાનો સૂર બદલીને ભાજપ છોડીને આમ આદમી પાર્ટી માં જોડાવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે કુંદન કોઠીયાએ મહિલાઓને આમ આદમી પાર્ટીમાં મહિલાઓનું સન્માન જળવાતું નથી તેવો આરોપ પણ મુક્યો હતો. જ્યારે આ કોર્પોરેટરોએ પોતાની પાર્ટી છોડી હતી ત્યારે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા કે તેમની પાર્ટીમાં તેમના કામ થતાં નથી અને હેરાન કરવામાં આવે છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ મહિલા કોર્પોરેટરો ને પૈસા લઇને વેચાઇ ગયા અને બીજી કેટલી ટિપ્પણી કરીને અપમાનિત કર્યા હતા. ત્યારે હવે કોર્પોરેટર ઘર વાપસી કરી છે, ત્યારે ગાળો દેનાર આ કાર્યકર્તાઓ અને નેતાઓ જ આ કોર્પોરેટરની વાહવાહી કરવામાં કોઇ પાછીપાની કરી રહ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *