ભાજપના આ નેતાએ પીએમ મોદીને સરખાવ્યા ભગવાન સાથે કહ્યું, ‘ભગવાનથી કમ નથી’

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે પીએમ મોદીની તુલના ભગવાન સાથે કરી છે. શિવરાજ સિંહે કહ્યું કે પીએમ મોદી ભગવાન થી ઓછા નથી. શિવરાજ સિંહે આ પ્રકારનું નિવેદન નાગરિકતા કાયદામાં થયેલા સંશોધનથી પાકિસ્તાનથી આવેલા અલ્પસંખ્યકોને ભારતની નાગિરકતા મળવાના સંદર્ભમાં કર્યું છે.

શિવરાજે કહ્યું કે ભગવાન જીવન આપે છે, માં જન્મ આપે છે પરંતુ પીએમ મોદીજી તેવા લોકોને એક નવું જીવન આપ્યું છે જેઓ ઉત્પીડીત હતા. નરેન્દ્ર મોદી તમે ભગવાનથી ઓછા નથી. શિવરાજ સિંહે આ પ્રકારનું નિવેદન ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ઈન્દોરમાં પંજાબી સમુદાયને સંબોધિત કરતા આપ્યું હતું.

નાગરિકતા કાયદા પર ભાજપે ઈન્દોરમાં બેઠક બોલાવી હતી. શિવરાજે કહ્યું કે પાકિસ્તાનમાં લોકોને મંદિરમાં નથી જવા દેતા, મહિલાઓની સાથે રેપ કરવામાં આવે છે. તેઓને નિકાહ કરવા માટે મજબૂર કરવામાં આવે છે અને જેઓ આ માટે રાજી નથી હોતા તેઓને મારી નાખવામાં આવે છે. શિવરાજ સિંહે નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહેલાં લોકોને પીએમ મોદી અને અમિત શાહનું અભિનંદન કરવું જોઈએ તેમ વધુમાં કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *