ભાજપના સ્થાપના દિવસે સુરતના ધારાસભ્ય ઝંખનાબેન પટેલે એવું કાર્ય કર્યું કે, જાણીને…

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન હતો જેને લઇ ભાજપના મોટા ભાગના નેતાઓએ ભાજપનો ધ્વજ તેમના પોતાના મકાન પર…

હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન હતો જેને લઇ ભાજપના મોટા ભાગના નેતાઓએ ભાજપનો ધ્વજ તેમના પોતાના મકાન પર ફરકાવ્યો હોવાના કેટલાંક ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. જ્યારે સુરત ભાજપના ચોર્યાસી વિધાનસભાના એક મહિલા ધારાસભ્ય ભાજપના સ્થાપના દિન નિમિત્તે એવું કાર્ય કર્યું હતું કે, જેમાંથી ભાજપના બીજા નેતાઓને પણ પ્રેરણા મળી રહે છે.

સુરત ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલે ભાજપના સ્થાપના દિન નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઝંખનાબેન પટેલ તથા તેમની ટીમે ડુમસ દરિયાકાંઠે ‘સ્વચ્છતા અભિયાન’ કરવામાં આવ્યું હતું કે, જેમાં બીચમાં રહેલ પ્લાસ્ટિક તથા કચરાને સાફ કરવામાં આવ્યો હતો.

જો કે, ઝંખનાબેન પટેલના આ દરિયાકાંઠાની સફાઈના કાર્ય એ પર્યાવરણ પ્રેમી અરુણ કૃષ્ણમૂર્તિની યાદ અપાવી દેવામાં આવી છે કે, કે જેણે ગૂગલની લાખો રૂપિયાના પગારની નોકરી છોડીને તળાવ તથા દરિયાકાંઠાની સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઝંખનાબેન પટેલનું આ દરિયાકાંઠાની સફાઈનું કાર્ય ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. ભાજપના અન્ય નેતાઓએ પણ તેમાંથી પ્રેરણા લેવી જોઈએ. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *