સુરતમાં આઠમાં માળેથી મહિલાએ લગાવી મોતની છલાંગ, મોતનું કારણ…

સુરત(Surat): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ચકચાર મચાવતી આપઘાતની ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, સુરતમાં એક…

સુરત(Surat): આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. ત્યારે વધુ એક ચકચાર મચાવતી આપઘાતની ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, સુરતમાં એક મહિલાએ આઠમા માળેથી છલાંગ લગાવી પોતાનું જીવન ટુંકાવ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. તેમજ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં આ ઘટના બની છે. પાંડેસરા વિસ્તારના સોલીટેર એપાર્ટમેન્ટમાં રહેતી અલકાબેન નામની મહિલાએ આઠમા માળેથી મોતની છલાંગ લગાવી છે. જયારે આ અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું છે કે, અલકાબેન માનસિક રીતે બીમાર હતા. તેથી પોતાની બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું છે.

જાણવા મળ્યું છે કે, અલ્કાબેનની છેલ્લા 15 વર્ષથી દવા ચાલી રહી હતી. જેનાથી તેઓ કંટાળી ગયા હતા અને અંતે આ પગલું ભર્યું. આ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેથી પોલીસ તાત્કાલિક પણે ઘટના સ્થળે પહોચી હતી. આ પછી પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી દીધી હતી. તેમજ પોલીસ દ્વારા આ અંગે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *