સુરતનો વિજય માલ્યા…અંકલેશ્વરનો યુવક સુરતના વેપારીને વિશ્વાસમાં લઇ કરોડોનું ફુલેકુ ફેરવી રફુચક્કર, પોલીસે તપાસ હાથ ધરી

Surat News: અંકલેશ્વરનો મીઠાઈનો વેપારી સુરત( Surat News ) ના ફોસ્ટાના પૂર્વ પ્રમુખ ને છેતરી ગયો હોવાની ઘટના પ્રકાશ માં આવી હતી. બેન્ક માં ઓળખાણ…

Surat News: અંકલેશ્વરનો મીઠાઈનો વેપારી સુરત( Surat News ) ના ફોસ્ટાના પૂર્વ પ્રમુખ ને છેતરી ગયો હોવાની ઘટના પ્રકાશ માં આવી હતી. બેન્ક માં ઓળખાણ હોવાની અને પોતે મોટો માણસ હોવાની ડંફાંસો મારી સુરતના વેપારી ને વિશ્વાસ માં લઇ કરોડોનું ફુલેકુ ફેરવી ફરાર થઇ ગયો છે.ત્યારે આ અંગે પોલીસને જાણ થતા હાલ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે

ફોસ્ટાના પૂર્વ પ્રમુખને મોટી મોટી વાતો કરી પોતાની વાતમાં ફસાવ્યા
સુરતના ફોસ્ટાના પૂર્વ પ્રમુખ અને રિંગ રોડ તિરૂપતિ સ્કવેરમાં રજત સિલ્ક મિલ્સના નામે ટેક્સ્ટાઇલ અને નિર્મલ કોર્પોરેશનના નામે જમીન લે-વેચની પેઢી ચલાવે છે.ત્યારે આ દરમિયાન અંકલેશ્વરના ભડકાદરામાં નંદનવન સોસાયટીમાં રહેતા અને જય ભવાની સ્વીટ્સના નામે મીઠાઈની દુકાન ધરાવતા હસ્તીસિંહ નારાયણસિંહ રાજપુરોહિત મળ્યો હતો.વાતચીત બાદ સુરત રિંગ રોડની તેમની દુકાને હસ્તી સિંહ મળવા આવ્યો હતો.ત્યાં તે મોટી વ્યક્તિ હોવાનું અને બેન્કના મેનેજર સાથે સારી ઓળખ ધરાવતો હવાની અને મિલકતો તારણમાં રહેલી મિલકતો હરાજીથી લઈ વેચાણ કરી મોટો નફો કમાતો હોવાનું જણાવ્યું હતું.

1.34 કરોડના નફા સાથે 2.35 કરોડ પરત આપવાના MOU કર્યા હતા
એક વાર તે જયારે રૂબરૂમાં મળવા આવ્યો એ દરમ્યાન અંકલેશ્વરમાં UPL કંપનીની પાસે રહેલી એક ફેક્ટરી કેનેરા બેન્ક દ્વારા હરાજી થઈ હતી. 10,600 સ્ક્વેર મીટરની આ જમીનવાળી ફેક્ટરી પોતે 9.59 કરોડમાં ખરીદી છે અને 15.68 કરોડમાં વેચી પણ દીધી છે. પરંતુ ચૂકવવા માટે બે કરોડ ખૂટે છે જો તે રકમ તમે આપો તો 22 ટકા હિસ્સો આપવામાં આવશે તેમ કહેતાં આ વેપારીએ 40 લાખ રૂપિયા આપ્યા હતા અને તેમના સંબંધી રાજસ્થાન ઇન્ટરનેશનલના અશોક જૈન અને જેતપુર સારીઝના દાનમલ જૈન પાસેથી અનુક્રમે 21 લાખ અને 40 લાખ રૂપિયા મળી 1.10 કરોડ રૂપિયા અપાવ્યા હતા. છ મહિના 1.34 કરોડના નફા સાથે 2.35 કરોડ પરત આપવાના MOU પણ કર્યા હતા.

છેતરપિંડી થઇ હોવાની ખબર પડતા પોલીસને જાણ કરવામાં આવી
જોકે આ છ મહિના પૂરા થઇ જવા છતાં નાણાં પરત આપ્યા ન હતા. એટલું જ નહિ, જે ચેક આપ્યા હતા તે પણ બાઉન્સ થયા હતા. જેમાં વેપારીએ હસ્તીસિંહ પાસે રૂપિયા ની ઉઘરાણી કરતા મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાથી મામલો સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે હસ્તીસિંહ વિરુદ્ધ છેતરપિંડી અને ધાકધમકી આપવા બદલ ગુનો નોંધી હસ્તીસિંહ ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા છે.