લગ્નના થોડા જ મહિનામાં પહેલા પતિએ અને પછીએ પત્નીએ ટૂંકાવ્યું જીવન- જાણો કયાની છે ઘટના

હાલમાં રાજકોટમાં આત્મહત્યાના બે બનાવ બન્યા છે. જેમાં પહેલા બનાવમાં રૈયા રોડ પર આવેલા અક્ષરતીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને એક મહિના પહેલા જ લગ્ન કરનાર રમેશ…

હાલમાં રાજકોટમાં આત્મહત્યાના બે બનાવ બન્યા છે. જેમાં પહેલા બનાવમાં રૈયા રોડ પર આવેલા અક્ષરતીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા અને એક મહિના પહેલા જ લગ્ન કરનાર રમેશ ચાવડાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બીજા બનાવમાં શહેરના 80 ફુટ રોડ આંબેડકરનગરમાં રહેતી સંગીતાબેન રાઠોડે લગ્નના 15 મહિના બાદ કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ બંને બનાવમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શહેરના રૈયા રોડ ઉપર આવેલા કનૈયા ચોક પાસે અક્ષરતીર્થ એપાર્ટમેન્ટમાં રહેતો અને ખાનગી બેંકમાં નોકરી કરતો રમેશ ભુપતભાઇ ચાવડા નામના યુવાને ગઈરાતે પોતાના ઘરે ઉપરના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. તપાસનીશ અધિકારી PSI ક્રિશ્ચનના જણાવ્યા મુજબ રમેશભાઈના લગ્ન એક મહિના પહેલા જ થયા હતા.

પત્નીની તબિયત સારી ન હોવાથી ગઈ સાંજે ચારેક વાગ્યે પત્નીને કોઠારીયા વિસ્તારમાં રહેતા તેના માતા-પિતાના ઘરે સારવાર અને આરામ કરવા મૂકવા ગયો હતો અને પરત 6 વાગ્યે ઘરે આવી બાદમાં માતાને આરામ કરવા જાવ છું તેમ કહી ઉપરના માળે જઇ અને આત્મહત્યા કરી લીધી હતી.

મોડે સુધી નહીં આવતા માતાએ દરવાજો ખખડાવ્યો છતાં નહીં ખોલતા દેકારો કરતા લોકો એકઠા થઇ ગયા હતા અને બારીમાંથી જોયું તો લટકતો મૃતદેહ જોવા મળ્યો હતો. દરવાજો તોડવો મુશ્કેલ હતો તેથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી બારી તોડાવી દરવાજો ખોલી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. મહિના પહેલા જ પ્રભુતામાં પગલું માંડનાર નવોઢા એક મહિનામાં જ વિધવા થઇ જતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

80 ફૂટ રિંગ રોડ આંબેડકરનગરમાં કાનાભાઈનાં મફતીયાપરામાં રહેતા સંગીતાબેન જગદીશભાઈ રાઠોડ નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે થોરાળા પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. સંગીતાબેનના પતિ ગેસની એજન્સીમાં નોકરી કરે છે તેમજ માવતર વાંકાનેરના સિંધાવદરમાં આવેલું છે. પિતાનું નામ નટુભાઈ કલાભાઈ ચાવડા છે.

​​​​​​​ગઈકાલે સાસુ ભાનુબેન દીકરીનાં ઘરે બહાર ગામ ગયા હતા. સંગીતાબેનનાં લગ્નને 15 માસ જ થયાં હતા. ગઈકાલે સાંજના સમયે ઘરે આવતાં બારણુ ખખડાવ્યું પરંતુ સંગીતાબેને ન ખોલતાં તોડીને જોયું તો પુત્રવધુનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. આ અંગે થોરાળા પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *