અભિનંદન- ટોરેન્ટ પાવરે વિજ યુનિટના ચાર્જમાં વધારો કરીને ગુજરાતીઓની ગરમી વધારી

હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીની સાથે-સાથે હવે લોકોને મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. રાંધણગેસના…

હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીની સાથે-સાથે હવે લોકોને મોંઘવારીનો માર પણ સહન કરવો પડી રહ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. રાંધણગેસના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે ધંધા-ઉદ્યોગ ધીમે-ધીમે ચાલી રહ્યા છે. આ દરમિયાન જનતાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ મુશ્કેલી એટલા માટે પડશે કારણ કે, ટોરેન્ટ પાવર દ્વારા એનર્જી ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.

ટોરેન્ટ પાવર દ્વારા એનર્જી ચાર્જમાં પ્રતિ યુનિટ 5થી 10 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત 51થી 200 સુધીના વીજ વપરાશના સ્લેબમાં એનર્જી ચાર્જમાં પ્રતિ યુનિટ 5 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે અને જે લોકો 200 યુનિટથી વધારે વીજ વપરાશ કરે છે તેમના માટે 10 પૈસા પ્રતિ યુનિટનો વધારો કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, રાજ્ય સરકાર હેઠળ જેટલી પણ વીજ વિતરણ કંપનીઓ છે એ વીજકંપનીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. માત્ર ટોરેન્ટ પાવર દ્વારા જ એનર્જી ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.

ટોરેન્ટ પાવર દ્વારા એક પ્રેસનોટ જાહેર કરીને આ બાબતે માહિતી આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપની ઉત્તર ગુજરાત વીજ કંપનીના ગ્રાહકો માટે કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી.

ટોરેન્ટ પાવર લિમિટેડ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના BPL કેટેગરી અને નાના રહેણાકના ગ્રાહકો કે, જેઓ દર મહિને 50 યુનિટ સુધીનો વીજ વપરાશ કરે છે તેવા ગ્રાહકોના વીજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. ઉપરાંત ટોરેન્ટ પાવર લિમિટેડ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના GLP કેટેગરીના ગ્રાહકોના વીજ દરમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા અમદાવાદ ગાંધીનગર વિસ્તારના દર મહિને 51 યુનિટી 200ના વીજ વપરાશના સ્લેબમાં એનર્જી ચાર્જમાં 5 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા અમદાવાદ-ગાંધીનગર વિસ્તાર માટે માસિક 200 યુનિટથી વધારે વીજ વપરાશ કરતા ગ્રાહકો સહિત બાકીના તમામ ગ્રાહકો માટે એનર્જી ચાર્જમાં 10 પૈસા યુનિટ દીઠ વધારો કરવામાં આવ્યો છે.

હાલ ઉનાળાની ઋતુમાં લોકો વીજ વપરાશ પણ વધારે કરતા હોય છે. કારણ કે, બપોરના સમયે લોકો તડકાથી બચવા માટે ઘરમાં જ રહેતા હોય છે અને ઘરમાં પંખા કે એ.સી વધારે પડતા ચાલતા હોય છે. આ કારણે લોકોનું વીજ બિલ પણ વધારે આવતું હોય છે. આ દરમિયાન ટોરેન્ટ પાવર દ્વારા યુનિટ દીઠ 5 પૈસા અને 10 પૈસાનો વધારો કરવાથી ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *