મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો ગરબાડા-અલીરાજપુર હાઈવે- રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6 લોકોનાં કમકમાટીભર્યાં મોત

6 people died in Dahod accident: રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે.ત્યારે હાલમાં આવી…

6 people died in Dahod accident: રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે.ત્યારે હાલમાં આવી જ એક ઘટના દાહોદમાંથી સામે આવી છે. દાહોદમાં ગરબાડા-અલીરાજપુર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી જાણકારી અનુસાર, દાહોદમાં ગરબાડા તાલુકાના પાટિયાઝોળ ગામે દાહોદ અલીરાજપુર હાઈવે પર MPથી દાહોદ તરફ જઈ રહેલી ટ્રક અને ઝરી ખરેલી ગામ તરફ જઈ રહેલી રીક્ષાની ધડાકાભેર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, ઘટના સ્થળે જ 6 લોકોના મોત થયા છે, તો બીજી તરફ રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે દાહોદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને માહિતી મળતાની સાથે જ ગરબાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.  અકસ્માત વહેલી સવારે થયો હતો. અકસ્માતની જાણ થતાં જ ગ્રામજનો ઘટનાસ્થળ પહોંચ્યા હતા. તો બીજી તરફ ગરબાડા પોલીસને પણ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક જ પરિવારના બે લોકો અને અન્ય ચાર લોકોના મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. એક રિક્ષામાં થોડા રૂપિયા વધારે મેળવવાની લહાયમાં ગેરકાયદેસર રીતે લોકોને વધારે સંખ્યામાં બેસાડવામાં આવે છે. આ રિક્ષામાં પણ વધારે લોકોને બેસાડ્યા હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *