સુખી લગ્નજીવનના ૧૧ વર્ષ પછી પત્ની પરપુરુષ સાથે ભાગી ગઈ, ભાંગી પડેલા પતિએ દીકરી સાથે મોતને વ્હાલું કર્યું

આપઘાતની વધતી જતી ઘટનામાં વધુ એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, કઠલાલ(Kathalal) તાલુકાના શાહપુર(Shahpur) તાબે ભોઈનાવડ(Bhoinawad) ગામના 30 વર્ષીય સંજયભાઈએ…

આપઘાતની વધતી જતી ઘટનામાં વધુ એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, કઠલાલ(Kathalal) તાલુકાના શાહપુર(Shahpur) તાબે ભોઈનાવડ(Bhoinawad) ગામના 30 વર્ષીય સંજયભાઈએ લગ્નનાં 11 વર્ષ બાદ પત્ની ગામના જ અન્ય યુવક સાથે ભાગી જતાં તેમની 5 વર્ષીય દીકરી સાથે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. આ ઘટનાના સમાચાર મળતાની સાથે જ ફતિયાબાદ કેનાલ પર લોકનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં. સ્થાનિક પોલીસ અને ગ્રામજનો દ્વારા તરવૈયા બોલાવી બંનેની શોધખોળ કરતાં 20 કલાક બાદ પિતા-પુત્રીના મૃતદેહો મળ્યા છે. હાલ આ ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંતાનમાં 10 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરી:
મળતી માહિતી અનુસાર, 30 વર્ષીય સંજયભાઈ રાવજીભાઈ પરમાર શાહપુર તાબે ભોઈનાવડ ગામના રહેવાસી છે. તેમના લગ્ન 11 વર્ષ પહેલાં કપડવંજ તાલુકાના લહેરજીના મુવાડા ગામમાં થયા હતા. તેમને સંતાનમાં 10 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરી હતી. સંજયભાઈની પત્ની પુષ્પાને ગામના કૌટુંબિક પરિણીત યુવક સાથે આંખો મળી જતાં અઠવાડિયા અગાઉ બંને પરિવાર તેમજ ગામ છોડી ભાગી ગયા હતા.

સંજય દીકરીને લેવા ગયો, પણ પરત ના આવ્યો:
સગાંસંબંધીઓના મત મુજબ, પુષ્પાને ભગાડી જનાર યુવકે સંજયભાઈને ગત રોજ ફોન કર્યો હતો. જેના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ભગાડી જનાર યુવક અને પુષ્પાએ સંજયભાઈને ફોન પર કોઈ એવી વાત કરી હશે જે બાબતનું સંજયને મનમાં લાગી આવ્યું હશે. જેથી સાંજે સ્કૂલ છૂટ્યા બાદ સંજય દીકરીને લેવા ગયો હતો, પરંતુ તે પરત ન ફરતાં પરિવારે શોધખોળ આદરતા તેનું બાઇક નર્મદા કેનાલ પરથી મળી આવતાં સંજયે દીકરી સાથે કેનાલમાં ઝંપલાવ્યાનો અંદાજ આવી ગયો હતો.

સ્કૂલથી પિતા ક્યાં લઈ જાય છે એ ક્યાં ખબર હતી:
મળતી માહિતી અનુસાર, સંજયની દીકરી શિવાની ધોરણ 1માં અભ્યાસ કરે છે. બુધવારે સાંજે તે ગંગાપુરા પ્રાથમિક શાળામાં દીકરીને લેવા ગયો હતો. ત્યાંથી પોતાના ટૂ-વ્હીલર પર કઠલાલ થઈ આંત્રોલી પાસેની નર્મદા નહેરના પુલ પર પોતાનું ટૂ-વ્હીલર મૂકી પુત્રી સાથે કેનાલમાં ઝંપલાવી દીધું હતું. દીકરીને ક્યાં ખબર હતી કે પિતા ઘરના બદલે મોતની ગોદમાં લઈ જઈ રહ્યા છે!

10 વર્ષીય દીકરો નાના સાથે રહેતો હોવાથી બચ્યો:
બે નાનાં સંતાનોને તરછોડી અન્ય યુવક સાથે ભાગી જતાં 10 વર્ષના દીકરાને લહેરજીના મુવાડા ખાતે રહેતા નાના બાબુભાઈ પરમાર લઈ આવ્યા હતા. જ્યારે શિવાની પોતાનાં બા-દાદા અને પિતા સાથે રહેતી હોય પિતાએ તેની સાથે સાંજે 6 કલાકે કેનાલમાં છલાંગ લગાવી હતી. ત્યારબાદ ગૂરુવારે બપોરના 2 કલાકે એટલે કે 20 કલાક બાદ પુત્રીનો મૃતદેહ નહેરમાંથી મળી આવ્યો હતો. જ્યારે સંજયભાઈનો મૃતદેહ 5.30 કલાકે, એટલે કે 24 કલાક બાદ મળી આવ્યો હતો. જેને પગલે પરમાર પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *