છેલ્લા 20 વર્ષથી કમરના અસહ્ય દુખાવાથી પીડાઈ રહી હતી મહિલા- જાણો કેવી રીતે બે જ દિવસમાં મળી દર્દમાંથી મુક્તિ

હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં 55 વર્ષના પુષ્પાદેવી સોનીને વર્ષ 2000થી એટલે કે, છેલ્લા ૨૦ વર્ષથી કમરમાં અસહ્ય દુઃખાવો રહેતો હતો. આ દુઃખાવાના લીધે પુષ્પાદેવીને ઊભા રહેવામાં કે ચાલવામાં પણ ખુબ તકલીફ પડતી હતી. આ અસહ્ય દુઃખાવામાંથી છૂટકારો મેળવવા તેમણે ખાનગી હોસ્પિટલોમાં વર્ષ 2000 અને વર્ષ 2014માં, એમ બે વખત ઑપરેશન પણ કરાવ્યું હતું. પરંતુ, કોઈ ફરક પડ્યો ન હતો.

નાણાંકીય વ્યય તો થયો જ આ ઉપરાંત તકલીફ પણ ધીરે ધીરે ઘટવાના બદલે વધતી જતી હતી. છેલ્લાં 3 વર્ષથી પુષ્પાબેનને અસહ્ય દુઃખાવાની સમસ્યા રહેતી. આ પીડામાં રાહત માટે પુષ્પાદેવીના પરિવારજનો દ્વારા અનેક પ્રાઇવેટ હોસ્પિટલ તથા ઓર્થોપેડીક ડોક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, ક્યાંય દર્દીને સંતોષકારક સારવાર મળી નહીં.

આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનની ટીમે તેમનો દુ:ખાવો દૂર કર્યો હતો. હોસ્પિટલના સ્ટાફે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને રાજસ્થાનની એક મહિલાને 20 વર્ષના લાંબા સમયગાળાથી વેઠવી પડતી પીડામાંથી મુક્તિ અપાવી છે. પુષ્પાદેવી સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

જ્યાં એક્સ-રૅ, MRI તથા સીટી સ્કેન કરતાં જાણવા મળ્યું કે, પુષ્પાદેવીની કરોડરજ્જુના ભાગે અગાઉના ઓપરેશન દરમિયાન મુકવામાં આવેલા સ્ક્રૂ તૂટેલા હતાં. તથા કમરનાં ચાર મણકાંમાં પણ સ્પોન્ડિલોલિસ્થેસિસ નામની તકલીફ હતી. આ સ્પોન્ડિલોલિસ્થેસિસની બે વખત અગાઉ પણ સર્જરી કરવામાં આવી હતી. જેના કારણે મણકા ત્રીજા તબક્કા સુધી ખસી ગયા હતા.

આ ઉપરાંત સર્જરીમાં ફિટ કરવામાં આવેલા સ્ક્રૂ પણ તૂટી ગયા હતા. સ્પોન્ડિલોલિસ્થેસિસના લીધે કમરમાં અસહ્ય દુ:ખાવો તથા ચાલવા પર અસર થાય છે. સ્ક્રૂ તૂટી જવાથી અને મણકા ત્રીજા તબક્કા સુધી ખસી જવાના કારણે આ સર્જરી જટિલ અને સંવેદનશીલ બની. સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ અને સ્પાઇન સર્જન ડૉ.જે.વી. મોદીએ કહ્યું કે, પુષ્પાદેવીને આ દુઃખાવામાંથી રાહત મળે તે માટે કરોડરજ્જુના ભાગે અગાઉના ઓપરેશન્સ દરમિયાન મૂકાયેલા ચારેય સ્ક્રૂને કાઢવા સહિતની શસ્ત્રક્રિયા ખુબ જ જરૂરી હતી.

તબીબી શૈલીમાં આ સર્જરીને “રિવિઝન સ્પાઇન સર્જરી” કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારનાં ઓપરેશન ખૂબ જ જટિલ ગણાય છે. કારણ કે, ઓપરેશન દરમિયાન તુટેલાં સ્ક્રૂ કાઢતી વખતે કરોડરજ્જુના ખૂબ જ નાજુક ભાગને ઇજા થવાનું જોખમ રહેલું હોય છે અને આવી ઇજા ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ ઉપરાંત સ્ક્રૂ કાઢવામાં કરોડરજ્જુની નસને ઇજા થવાનું પણ ખુબ જ જોખમ હોય છે. આ કહાની રાજસ્થાનના ચિત્તોડગઢની એક મહિલાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *