અમદાવાદની એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરનો આપઘાત, સુસાઈડ નોટમાં પત્ની માટે લખ્યા હૈયું હચમચાવી નાખે તેવા કરુણ શબ્દો

અમદાવાદ(Ahmedabad): શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજ (LD Engineering College)ના પ્રોફેસરે ગઈકાલે પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત…

અમદાવાદ(Ahmedabad): શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજ (LD Engineering College)ના પ્રોફેસરે ગઈકાલે પોતાના ઘર પર જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રોફેસરના ઘર પરથી મળી આવેલી એક સુસાઈડ નોટમાં પોતે કોલેજના કામના ભારણના કારણે આ પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ પ્રોફેસર દ્વારા સુસાઈડ નોટમાં બે અંતિમ ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં પોતાના મોત પછી અંતિમ સંસ્કાર માટે કેનેડામાં અભ્યાસ કરી રહેલા પોતાના પુત્રને બોલાવતા નહીં.

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના સેક્ટર-2/ડી ખાતે રહેતા અને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહેલા નિમેષભાઈ નાનજીભાઈ શાહે આજે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ તેમના પરિવારજનો દોડી ગયા હતા. તેમના પત્નીએ રૂમનો દરવાજો તોડતા જ લટકી રહેલા મૃતદેહને જોઇને તમામ લોકો આઘાતમાં સરી પડ્યા હતા.

કોલેજમાં કામના ભારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો:
મહત્વનું છે કે, મૃત પ્રોફેસર પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેઓએ કામના ભારણને કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘I QUIT હું જાઉ છું રૂપલ તારું ધ્યાન રાખજે…’ સાથે જ તેમણે લખતા કહ્યું હતું કે, મને કોલેજમાં કામનો ખૂબ જ લોડ લાગી રહ્યો છે. કોલેજની સેન્ટ્રલ લેવલે મને બે પોર્ટફોલિયા આપેલ છે. કોલેજનું ઈલેક્ટ્રિકલ મેઈન્ટેનન્સ અને કોલેજમાંના વિદ્યાર્થીઓની સ્કોલરશિપનું કામ. બંને કામમાં મને ખૂબ જ લોડ રહે છે. મારા આપઘાત પાછળનું કારણ વધુ પડતો કોલેજનો કામનો લોડ છે.

મારા દીકરાને કેનેડાથી ન બોલાવતા:
સાથે જ તેમણે સ્યૂસાઈડ નોટમાં પોતાના દીકરાને ઉલ્લેખીને લખ્યું છે કે, મારા દીકરાને કેનેડાથી ન બોલાવશો. તેમણે પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરતા લખ્યું હતું કે, પોતાના અગ્નિસંસ્કારમાં કેનેડામાં અભ્યાસ કરી રહેલા પોતાના પુત્ર અક્ષતને નહીં બોલાવવાની અને બીજી ઈચ્છા પોતાના અગ્નિસંસ્કાર ઉમેશ મકવાણા નામના મિત્ર અને પીયૂષ રાઠોડ નામના કુંટુબી ભાઈ કરે તેવી વ્યક્ત કરવામાં આવી છે.

માત્ર એટલું જ નહી પણ સુસાઈટ નોટમાં પત્ની માટે હૈયું હચમચાવી નાખે તેવા કરુણ શબ્દો લખ્યા હતા. જેમાં ‘રૂપલ મને માફ કરજે, તને એકલી છોડીને જઈ રહ્યો છું. અક્ષતને સાચવજે’ તેવા કરુણ શબ્દોનો પણ ઉલ્લેખ કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *