‘મારા ઘરે પુત્રવધૂ નહીં પણ દીકરી આવી છે, ત્રણ દીકરા ન કરી શક્યા તે પુત્રવધુએ કરી બતાવ્યું’- અમદાવાદની આ ઘટના રડાવી મુકશે

અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદમાંથી એક હદયદ્રાવક ઘટના સામે આવી છે. નવયુગલના લગ્ન બાદ જ્યારે મહિલા પરણીને ઘરે આવી ત્યારની વાત જણાવતા તેણે કહ્યું કે: મારા સસરાએ કહેલું કે, “મારા ઘરે પુત્રવધૂ નહીં પણ દીકરી આવી છે.” અમદાવાદના આધુનિક પરિવારની પુત્રવધૂની હિંમત અને ઉદારતાની આ કહાની છે. એનું નામ છે ગરિમા અગ્રવાલ. નવા ઘરે પરણીને આવેલી સ્ત્રીને જે પ્રકારની ચિંતા હોય તે દરેક પ્રકારની ચિંતાઓ તેને પણ હતી. પણ સાસરીમાં બધા લોકો એટલા મિલનસાર અને સરળ હતા કે એક બે દિવસમાં તો એને ઘર જેવું જ લાગવા માંડ્યું હતું. સસરાએ પહેલા જ દિવસે તેને કહી દીધેલું કે, અમારા ઘરમાં ‘ઇન-લોઝ’ જેવુ કઈ નથી. આ સાસરું ન સમજીશ, તારું જ ઘર છે.

આટલા સરસ વાતાવરણમાં વર્ષો કેવી રીતે પસાર થતાં હતા તેનું ગરિમાને ભાન પણ ન રહ્યું, વરસોવરસ આ સંબંધો વધુને વધુ મજબૂત થતાં ગયા હતા. સસરમાં ગરીમાને પોતાના પિતા, મિત્ર અને ગુરુ મળ્યા. પરંતુ, બધુ એકદમ સરસ ચાલતું હોય ત્યારે જ જીવનમાં સમયની થાપટો વાગતી હોય છે. ગરીમા અને તેના પરિવાર સાથે પણ કઈક આવું જ બન્યું. ગરિમાના સસરાંને 2016માં લીવર સિરોસીસ ડાયગ્નૉસ થયું. પરિવાર માટે જાણે આભ ફાટ્યુ હોય તેવી આફત આવી પડી હતી. પણ સ્થિતિ વધારે બગડે એ પહેલા જ યોગ્ય સારવારના કારણે એક-બે વરસમાં તેના સસરા સાજા થયા.

ફરી જીવનની ગાડી પાટે ચડી. પરિવાર તેમજ સંબંધીજનોએ રાહતનો શ્વાસ લીધો. પણ સમયને જાણે આ મંજૂર ન હતું તેમ આ વખતે આફત વધારે જોરથી ત્રાટકી હતી. આફતનું નામ હતું લીવર કેન્સર. એ પણ ભાગ્યે જ થાય એવા પ્રકારનું લીવર કેન્સર. તાત્કાલિક ધોરણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એમ હતું. ગરીમાએ તરત પરિવારને ખરાબ સમયમાં મદદ કરવાની તૈયારી બતાવી. “હું મારુ લીવર પપ્પાજીને ડોનેટ કરીશ.” પણ પરિવારજનોએ તેના આઆ પ્રસ્તાવનો રડતી આંખે અસ્વીકાર કર્યો. તેમણે ટ્રાન્સ્પ્લાન્ટેશન માટે મૃત વ્યક્તિનું લીવર મેળવવા અરજી કરી.

ડોક્ટરે કહ્યું કે, આ રીતે તો લીવર મળવામાં ઘણો સમય લાગી જશે. માટે પરિવારના જ કોઈ સદસ્યએ લીવર ડોનેટ કરવું પડશે. વિધાતાના એવા લેખ કે, પરિવારમાંથી કોઈનું જ લીવર તેના સસરા સાથે મેચ થતું ન હતું. સંતાનો, ભાઈઓ, પત્ની આ તમામ લોકો ગેરલાયક ઠર્યા અને એક જ વ્યક્તિનું લીવર ડોનેટ કરવા યોગ્ય હતું અને એ હતી ગરીમા. હવે ગરિમાએ જીદ કરી.

થોડી આનાકાની બાદ પરિવારજનો દ્વારા ગરિમાને ટ્રાન્સપ્લાન્ટ માટે લીવર ડોનેટ કરવાની પરવાનગી આપી દેવામાં આવી. 26 જૂન 2020ના દિવસે ટ્રાન્સપ્લાન્ટ થયું અને ગરિમાએ પોતાનું 60% લીવર સસરાને ડોનેટ કરી દીધું. ટ્રાન્સપ્લાન્ટના થોડા જ વખતમાં બંને લોકો સામાન્ય જિંદગી જીવતા થઈ ગયા. બંને લોકો હાલમાં સ્વસ્થ છે અને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી. ગરીમાના સસરા આજે પણ કહે છે, મેં કહ્યું હતું ને ”ઘરમાં પુત્રવધૂ નહીં દીકરી આવી છે”. ગરીમા જેવી પુત્રવધૂ હોય તો એક જ નહીં પણ સેંકડો જિંદગીઓ બચાવી લે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *