આ કોળી નેતાને મંત્રીમંડળમાંથી હટાવીને અલ્પેશ ઠાકોરને બનાવાશે મંત્રી- વાંચો પુરી ખબર

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો હાથ છોડી ચૂકેલ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ને ભાજપમાં એન્ટ્રી પાકી મનાઈ રહી છે. અલ્પેશ એ પોતાના મકાનના વાસ્તુપૂજન માં કોંગ્રેસ નેતાઓ…

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો હાથ છોડી ચૂકેલ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ને ભાજપમાં એન્ટ્રી પાકી મનાઈ રહી છે. અલ્પેશ એ પોતાના મકાનના વાસ્તુપૂજન માં કોંગ્રેસ નેતાઓ ને નહીં પરંતુ ભાજપના નેતાઓને આમંત્રિત કર્યા. ઠાકોરના ભાજપના નેતાઓ સાથેના સંબંધો જોઈને અટકળો લગાવવામાં આવે છે કે તેઓ જલ્દી સરકારમાં મંત્રી બની જશે.

કોંગ્રેસના નેતાઓએ જ્યારે ધારાસભ્ય પરથી રાજીનામું દેવા અલ્પેશ ઠાકોર ને કહ્યું તો તેમણે રાજીનામું આપવા ની સાફ મનાઈ કરી દીધી. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા અલ્પેશ ના નવા ઘરે વાસ્તુપૂજા માં હાજર રહ્યા હતા. અલ્પેશ ઠાકોરે બંને ને ભાવ ભર્યું આમંત્રણ આપ્યું હતું. કહેવામાં આવે છે કે ઉત્તર ગુજરાતના ચાર લોકસભા ક્ષેત્રોમાં અલ્પેશે કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરીને ભાજપના ઉમેદવારોને જીતાડવામાં ખૂબ મહેનત કરી છે.

ચૂંટણીના પરિણામ બાદ ભાજપમાં થઈ શકે સામેલ

લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે અલ્પેશ ઠાકોર ને મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના મંત્રીમંડળમાં જગ્યા આપી શકે છે. અલ્પેશ ઠાકોર ભાજપ ના નેતાઓ સાથે ઊંડા સંબંધોથી જોડાઈ ગયા છે. આપેલા અલ્પેશ ઠાકોર એ ઉત્તર ગુજરાતના ભાજપ ના સૌથી મોટા નેતા શંકર ચૌધરી સાથે મુલાકાત કરી હતી.

પહેલા જ ભાજપમાં જોડાવાની મનાઈ કરી હતી

જણાવી દઈએ કે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીમંડળનું વિસ્તાર કર્યું ત્યારે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા ને કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા. એ જ સમયે મુખ્યમંત્રીએ અલ્પેશ ઠાકોરની જગ્યાને પણ બચાવીને રાખી હતી, પરંતુ અલ્પેશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ ભાજપમાં જોડાવા ની મનાઈ કરી દીધી. હવે નિશ્ચિત થઇ ગયું છે કે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવતા જ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ જશે. મનાઈ રહ્યું છે કે ચાલી રહેલા પરષોત્તમ સોલંકીને સ્થાને અલ્પેશ ઠાકોર ને મંત્રી મંડળમાં સમાવી લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *