ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે ગુજરાતના માથા પર છે અધધ… કરોડો રૂપિયાનું દેવુ, વાંચો મોટા-મોટા આંકડાઓ

આંકડાઓમાં ગુજરાત (gujarat) ભલે વિકાસ (development) મામલે ગતિ કરી રહ્યું હોય, પરંતુ તમને આ જાણીને નવાઈ લાગશે કે ગુજરાત પણ દેવાદાર છે. ગુજરાતના માથે પણ કરોડોનું દેવુ છે. વર્ષ 2019-20 સુધી ગુજરાત પર રૂપિયા 2,67,650 કરોડનું દેવું થઈ ગયું છે. વિવિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ અંગે લેખિતમાં કબૂલાત કરવામાં આવી હતી.

ગઈકાલના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વિવિધાનસભા ગૃહમાં માહિતી પણ અપાઈ કે, લોન પર સૌથી વધુ વ્યાજ કેન્દ્રીય દેવા પાછળ ચૂકવવામાં આવે છે. તો 31 માર્ચ 2021ના ફાઈનાન્શિયલ વર્ષ પછી ગુજરાતનું દેવુ વધીને 3,00,959 કરોડ પર પહોંચી જશે. આ ઉપરાંત બે વર્ષ બાદ 2023-24 સુધીમાં આ રકમ 4,10,989 કરોડ પર પહોંચી જવાની શક્યતા રહેલી છે. બે વર્ષમાં ગુજરાતના માથા પરના દેવાની રકમ વધી ગઈ છે.

નાણાંકીય સંસ્થાઓની લોન માટે 3.15થી 8.75 ટકા વ્યાજ ચૂકવાય છે. બજાર લોન માટે 6.68થી 9.75 ટકા વ્યાજ ચૂકવાય છે. આ ઉપરાંત કેન્દ્રીય દેવા માટે 0થી 13 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે. તો NSSF લોન માટે 9.50થી 10.50 ટકા વ્યાજ ચૂકવાય છે.

ગુજરાતના માથા પર આટલુ દેવુ કેવી રીતે વધ્યુ તે વિશે જાણીએ તો, મોટાભાગનું દેવુ એક જ વર્ષમાં થયું છે. 2020-21ના વર્ષમાં કેન્દ્ર પાસેથી લીધેલી લોન, બજાર લોન, પાવર બોન્ડ રૂપે તેમજ નાણાંકીય સંસ્થાઓ તથા બેંકો પાસેથી લીધેલી લોન અંતર્ગત આ રૂપિયા વધ્યા છે.

ગાંધીનગર ગુજરાત વિધાનસભા પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાતે અન્ય રાજ્યો પાસેથી કેટલા રૂપિયા લેવાના બાકી છે તેના વિષે પણ જાણવા મળ્યું હતું. ગુજરાત સરકારે સરદાર સરોવર નર્મદા યોજના અન્વયે કરોડો રૂપિયા પડોશી રાજ્યો પાસેથી લેવાના બાકી છે. જે મુજબ 31 ડિસેમ્બર, 2020ની સ્થિતિએ મધ્યપ્રદેશ પાસેથી 4764.35 કરોડ રૂપિયા લેવાના બાકી છે. મહારાષ્ટ્ર પાસેથી 1627.66 કરોડ અને રાજસ્થાન પાસેથી 542.18 કરોડ રૂપિયા લેવાના બાકી છે. આમ, કુલ 6934.19 કરોડ રૂપિયા ગુજરાતે ત્રણ પાડોશી રાજ્યો પાસેથી લેવાના બાકી છે.

તો વળી બીજી બાજુ જીએસટીના વળતર પેટે ગુજરાતે કેન્દ્ર સરકાર પાસે 21787.55 કરોડ રૂપિયાનું વળતર લેવાનું બાકી નીકળે છે. 31 જાન્યુઆરી 2021ની સ્થિતિએ 21787.55 કરોડ રૂપિયાનું વળતર લેવાનું નીકળે છે. કેન્દ્ર સરકારે જીએસટી વળતર રૂપે 5 ઓક્ટોબર 2020 થી 22 ડિસેમ્બર 2020 સુધીમાં આશરે 1468.93 અને 1468.93 કરોડ મળી કુલ 2937.86 કરોડનું વળતર ચૂકવાયુ છે. આ ઉપરાંત રાજ્યને જીએસટી વળતરના બદલે 7225.36 કરોડની લોન મળી છે. હજી 11624.33 કરોડનું વળતર રાજ્ય સરકારે લેવાનું બાકી નીકળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *