સુરત VNSGUની ગર્લ્સ હોસ્ટેલમાં 17 વર્ષની વિદ્યાર્થિનીએ પોતાની રૂમમાં જ ગળેફાંસો ખાઈ લીધો- આપઘાતનું કારણ…

સુરત(Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ની વિધાર્થીની સમરસ હોસ્ટેલ(Samaras Girls Hostel)ના સાતમા માળે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીને આપઘાત કરી લીધા હોવાની ઘટના સામે આવતા ચકચાર…

સુરત(Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ની વિધાર્થીની સમરસ હોસ્ટેલ(Samaras Girls Hostel)ના સાતમા માળે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીને આપઘાત કરી લીધા હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વિધાર્થીનીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. મળતી માહિતી અનુસાર, વિધાર્થીની એસવીએનઆઇટીમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી. કોલેજ પૂર્ણ કરી હોસ્ટેલ પરત આવ્યા પછી બપોરના સમય દરમિયાન રૂમમાં ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલાને લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાંથી વિદ્યાર્થિનીના આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ડાંગ આહવા ખાતે રહેતી 17 વર્ષની દેવાંશી પાલવે નામની વિદ્યાર્થીની છ મહિનાથી એન્જિનિયરિંગના અભ્યાસ માટે સુરત આવી હતી. મહત્વનું છે કે, સુરતની એસવીએનઆઇટી કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી હતી. આ દરમિયાન દેવાંશી જયારે કોલેજ પૂર્ણ કરીને હોસ્ટેલ આવી હતી. પરંતુ બપોરના સમયે દેવાંશીએ ડાંગ આહવા ખાય આપઘાત કરી લીધો હતો.

મહત્વનું છે કે, 17 વર્ષીય દેવાંશીએ આપઘાત કરી લેતા સમગ્ર હોસ્ટેલમાં ચકચાર મચી ગઈ છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ અધિકારી સહિતની ટીમ અને સમાજ કલ્યાણની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પરંતુ યુવતીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે.

એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત સામે આવ્યા પછી પોલીસ દ્વારા તમામની પૂછપરછ કરવામાં આવી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિદ્યાર્થિની એન્જિનિયરિંગના અભ્યાસના તણાવમાં ક્યાંક આવું પગલું ભર્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, ઘટના સ્થળે પહોંચીને પોલીસ દ્વારા ગળે ફાંસો ખાધેલ વિદ્યાર્થીનીના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો અને આજુબાજુમાં રહેતી વિદ્યાર્થીનીઓની પૂછપરછ શરૂ કરી હતી. સાથે જ પોલીસ દ્વારા ઘટના અંગે વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ કરાઈ હતી. પોલીસે હાલ તો વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *