સુરતમાં લુખ્ખા તત્વોએ રેસ્ટોરન્ટમાં ઘુસી માલિક સહિત 3 લોકો પર કર્યો હુમલો- જુઓ લુખ્ખાગીરીના દ્રશ્યો

સુરત(Surat): શહેરના સરથાણા(Sarthana)ની રેસ્ટોરન્ટ(Restaurant)માં શનિવારના રોજ મોડીરાત્રે બબાલ કરી તોડફોડ કરનાર 8 જણા સામે પોલીસે ગુનો નોંધીને અટકાયત કરવામાં આવી છે. રેસ્ટોરન્ટમાં ઘૂસી માલિક સહિત 3 પર હુમલો કરાતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. CCTVના આધારે પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી અટક કરી હોવાનું સામે આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

શહેરના સરથાણામાં ડી માર્ટની પાછળના ભાગમાં શાંતિનગર સોસાયટીમાં રહેતા નિલેશ વિનોદભાઇ ભીકડિયા (ઉવ 49) સરથાણામાં નવજીવન હોટલ પાસે શ્રી સાંઇનાથ મલહાર ઢોસા નામની રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે. ગયા શનિવારના રોજ મોડીરાત્રે 11:30 વાગ્યે રેસ્ટોરન્ટમાં સાગર ભરવાડ સહિત 8 યુવકો લાકડી-ફટકા સાથે અંદર ઘૂસી ગયા હતા અને તેઓએ નિલેશભાઇ સાથે મારામારી અને ઝપાઝપી કરી હતી.

નિલેશભાઇના ભાઇ તથા કારીગર પર હુમલો કરવામાં આવ્યો હતો. રાત્રિ કરફ્યુ વચ્ચે મારપીટ કર્યા પછી આ યુવકોએ રેસ્ટોરન્ટમાં ભારે તોડફોડ પણ કરી હતી. જેને પગલે રેસ્ટોરન્ટને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું.

આ ઘટનામાં નિલેશભાઇ સહિત ૩ને ગંભીર ઇજા પહોંચી હતી. સરથાણા પોલીસે નિલેશ ભીકડિયાની ફરિયાદના આધારે આ સમગ્ર મામલે સાગર ભરવાડ સહિત 8 જણા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીએસઆઇ કરમટાએ આ ગુનામાં ચાર આરોપીની અટકાયત કરી હોવાનું પણ માહિતી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *