યુવતીના પ્રેમમાં પાગલ બનેલા આશિક કાકાએ કર્યો બે માસૂમ ભત્રીજાની હત્યાનો પ્રયાસ- જાણો સુરતની આ ચકચારી ઘટના

સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)ના પાંડેસરા(Pandesara)માંથી સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાકાએ જ એક પછી એક બન્ને ભત્રીજાઓને ત્રીજા માળેથી ઝાડી-જંગલમાં ફેંકી હત્યા(Murder)નો પ્રયાસ…

સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)ના પાંડેસરા(Pandesara)માંથી સંબંધોને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાકાએ જ એક પછી એક બન્ને ભત્રીજાઓને ત્રીજા માળેથી ઝાડી-જંગલમાં ફેંકી હત્યા(Murder)નો પ્રયાસ કરતાં હોબાળો મચી જવા પામ્યો છે. ભત્રીજાઓની હત્યાનો પ્રયાસ કર્યા બાદ નાગેન્દ્ર(Nagendra)એ ભાઈને ખાતા પર મળી ગામ જઇ રહ્યો હોવાનું નાટક રચી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

એક કલાક બાદ ભાનમાં આવેલા બે પૈકી એક ભાઈએ ઇજાગ્રસ્ત હાલતમાં ઘરે આવી કાકાની હેવાનિયતનો ભાંડો ફોડતાં બન્ને ભાઈને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ લાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક ઓપરેશન કરી બચાવી લેવામાં આવ્યા છે. પીડિતના પિતાએ જણાવ્યું કે, નશામાં ધૂત રહેતા ભાઈ નાગેન્દ્રને ઠપકો આપતાં ગાળાગાળીની અદાવતમાં બન્ને દીકરાને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. ભત્રીજાઓની હત્યા પાછળ કાકાનું પ્રેમપ્રકરણ હોવાની આશંકા લગાવવામાં આવી રહી છે.

આ અંગે જયપ્રકાશ ગૌતમએ જણાવ્યું હતું કે, ‘મેં તો ખાતે પર થા, અચાનક નાગેન્દ્ર મુજે મિલને આયા ઔર બોલા, રોલ કિતના નીકલતા હૈ, ઔર ઇસ કે બાદ મેં ગાંવ જા રહા હું, કહકે નીકલ ગયા થા, બાદ મેં પતા ચલા કે ઇસને, મેરે દોનો બેટો કો તિસરી મંજિલ સે બિલ્ડિંગ કે પીછે જાડી મેં ફેંક દિયા થા’. આ સાંભળી મારા હોંશ ઊડી ગયા હતાં. બાદમાં હું દોડીને ઘરે પહોચ્યો તો મુકુંદએ ઘટનાની તમામ હકીકત જણાવી હતી. કાકા નાગેન્દ્રએ પહેલા આદિત્યને રૂમમાંથી લઈ ગયો હતો. થોડીવાર બાદ મને લઈ ગયો અને કમરમાંથી ઊંચકી નીચે ફેંકી દીધો હતો. કંઈ પણ વિચાર આવે એ પહેલાં કાકાએ બન્ને ભાઈઓને મારી નાખવાના ઇરાદે લગભગ 35-40 ફૂટ નીચે ફેંકી દીધા હોવાનું પુત્રએ જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

જાણવા મળ્યું છે કે, આદિત્ય ધોરણ-4 અને મુકુંદ ધોરણ-5નો વિદ્યાર્થી છે અને યુપીના રહેવાસી છે. 7 વર્ષથી સુરતમાં રોજગારી મેળવી પરિવાર સાથે ગુજરાન ચલાવી રહ્યા છે. નાગેન્દ્ર નશાનો બંધાણી છે. 6 વર્ષ પહેલાં તેને રોજગારી માટે સુરત લઈ આવ્યો હતો. ત્યારે થોડા દિવસ પહેલાં મારો તેની સાથે ઝઘડો થયો હતો. ભાઈઓ વચ્ચે જોરદાર ગાળાગાળી થઈ હતી, જેની અદાવતમાં મારા બન્ને દીકરાઓની હત્યાની કોશિશ કરવામાં આવી છે. રાત્રે પાંડેસરા પોલીસ દ્વારા સિવિલમાં આવી તમામ નિવેદન લેવામાં આવ્યા હતા. પોલીસ નાગેન્દ્રને શોધીને સજા આપે તો જ મારા બન્ને દીકરા સુરક્ષિત છે, નહિતર ફરી તે મારા દીકરાઓને પતાવી દેવાની કોશિશ કરે એવો ડર હોવાનું પિતા જયપ્રકાશે જણાવ્યું હતું.

આ બે સગા ભત્રીજાઓની હત્યાના પ્રયાસ પાછળ યુવતી સાથેનો પ્રેમ અને ભાઈઓની નારાજગી કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પરંતુ, ભાઈ વતન યુપીમાં પણ નાગેન્દ્રએ પિતાનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જયપ્રકાશે જણાવ્યું છે. જાન્યુઆરી 2021માં નાગેન્દ્ર કોઈ યુવતીને ભગાડીને લઈ આવ્યો હતો. એ બાબતે ચાર ભાઈએ વિરોધ કરી સમાજમાં બદનામી થશે અને યુવતીને છોડી આવવાનું કહેતાં ઝઘડા થયા હતા.

ત્યારબાદ નાગેન્દ્ર યુવતીને લઈ વતન યુપી પરત ચાલી ગયો હતો. જ્યાં પરિવાર દ્વારા સહકાર ન મળતા તેણે પિતાનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કરી ફરી સુરત આવી ગયો હતો. સુરત આવ્યા બાદ રહેવા માટે એક ભાઈના ઘરેથી બીજા ભાઈના ઘરે ધક્કા ખાતા નાગેન્દ્રને પ્રેમિકાને છોડવાની ન હોવાથી ભાઈઓ સાથે ઝઘડો કરતો હતો. તેમણે જણાવ્યું કે, ચાર દિવસથી જ મારા ઘરે આવ્યો હતો. પ્રેમિકાને તેના મામાને ત્યાં છોડી આવવાનો ઠપકો આપ્યો હતો. તેની અદાવતમાં તેણે મારા બન્ને માસૂમ દીકરાઓને પતાવી દેવાની કોશિશ પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *