કાર અને બસ વચ્ચે ટક્કર થતા બાળકોની નજર સામે જ માતા-પિતાનું કરુણ મોત

આજકલ અકસ્માતની વધતી ઘટનાઓ દરમિયાન ભાવનગરના તળાજા મહુવા હાઈવે પરથી ફરીવાર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના કરુણ મોત નીપજ્યા છે. ઉપરાંત અન્ય 3 ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, અકસ્માતના પગલે પોલીસ ટીમ અને 108 તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

જ્યાં 108ની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિત મુજબ, ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કારમાં એક પરિવાર કારમાં મહુવા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન સામેથી આવતી એસટી બસ સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી.

જેમાં કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પતિ-પત્નીનું મોત નીપજ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઉપરાંત તેમના બે બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી. કાર અકસ્માતમાં બ્રિજરાજસિંહ જાડેજા અને જાગૃતિબા બ્રિજરાજસિંહ જાડેજાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

જ્યારે 11 વર્ષીય કાવ્યરાજ અને 9 વર્ષીય કીર્તિબા સહિત 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ આ બંને બાળકોને રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અકસ્માતના પગલે પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *