6 સંતાનોના પિતાને 2 સંતાનોની માતા સાથે બંધાયા શારીરિક સંબંધ, અને પછી એક દિવસ…

ભાવનગર જીલ્લાના તળાજામાં એક ગામના પરિણીત યુવક યુવતીઓ એકબીજા વગર ન રહી શકતા હોવાથી પ્રેમસબંધમાં બંધાયા હતા પરંતુ તેમને તેવું લાગતા બંને એ આપઘાત કરી લીધો હતો. યુવક યુવતીના આત્મહત્યાને કારણે બંનેના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય. જેને લીધે સમગ્ર ગામમાં આખા ગામમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર, તળાજાના એક ગામમાં રહેતા 42 વર્ષના યુવક પરણિત છે અને તેમને 6 સંતાનો છે. જેમને તેમના જ એક ગામની એક પરણેલી યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા. જયારે આ પરણિત યુવતી 39 વર્ષની છે અને તેમણે 2 સંતાનો છે.

આ બંને યુવક અને યુવતી પોતાના પાટર્નરની જાણ વગર એકાંત માણતા હતા. બંને એક્બીજા વગર નહોતા રહી શકતા અને સાથે જીવવાનું અને સાથે જ મરવાનું કહ્યું હતું. બીજી તરફ સમાજ તેમના પ્રેમને નહિ માને તેવો ડર તેમને સતાવી રહ્યો હતો.

આમ જોવા જઈએ તો બંને એક નહીં થઇ શકે તેવું લગતા જ બંને એ સાથે મારી જવાનો નિર્ણય કર્યો હતો અને બંને એ સાથે જ આત્મહત્યા કરી લીધી હતી. આ બંને યુવક અને યુવતીની લાશ મળી આવી છે. યુવક અને યુવતીના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાસ્થળ નજીક તેમનું બાઈક પણ મળી આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોચીને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *