મનોજ સોરઠિયા પર હુમલો કર્યા બાદ AAPના આ દિગ્ગજ નેતાએ કહ્યું કે, મારી અને ઇટાલિયાની પણ થઈ શકે છે હત્યા

સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે વારંવાર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj…

સુરત(Surat): શહેરમાં ભાજપ(BJP) અને આમ આદમી પાર્ટી(AAP) વચ્ચે વારંવાર ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj Sorathiya) ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. મનોજ સોરઠીયા ઉપર હુમલો થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

આ હુમલા અંગે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી(Isudan Gadhvi)એ જણાવતા કહ્યું હતું કે, ભાજપ દ્વારા મનોજ સોરઠિયાની હત્યાનો તખ્તો ઘડવામાં આવ્યો આવ્યો હતો. વધુમાં જણાવતા કહ્યું હતું કે, અમારા પ્રદેશ ગોપાલ ઇટાલિયા અને મારા સહિતના નેતાઓની પણ હત્યા કરાવવાનો ભાજપનો પ્લાન હોઈ શકે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હુમલા અંગે કર્યું ટ્વીટ:
આ સમગ્ર ઘટના અંગે આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજિવાલે ટ્વિટ કરીને જણાવતા કહ્યું છે કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો તે યોગ્ય નથી. ચૂંટણીઓમાં હાર જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને આ જનતાને પસંદ નથી. હું ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે, ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને દરેકની સુરક્ષા કરે.

ભાજપના ગુંડાઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો: ઇસુદાન ગઢવી
ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, સુરતમાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા આપ કા રાજા નામના અમારા પંડાલ પર ગયા ત્યારે ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. મનોજભાઈ સોરઠિયા સમજે એ પહેલાં જ માથામાં પાઇપ મારી હુમલો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ 8 નેતા પર હુમલા કર્યા છે. ભાજપ પાર્ટી લુખ્ખા, લફંગા અને ગુંડાઓની પાર્ટી છે. ભાજપનો બે-ચાર હત્યા કરાવવાનો પ્લાન છે તેવું ઈસુદાન ગઢવીએ કહ્યું હતું.

જાણો શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, આમ આદમી પાર્ટી દ્વારા સીમાડા ચોકડી ખાતે દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે હવે આ વખતે પણ ગણેશ ચતુર્થી ને લઈને મંડપનું આયોજન થઈ રહ્યું હતું. આ સમય દરમિયાન કેટલાક વ્યક્તિઓ દ્વારા એકાએક મંડપ પાસે પડેલા ડંડાઓ અને લોખંડની પાઇપ વડે હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *