મોટાભાઈની આત્મહત્યાનો આઘાત સહન ન થતા નાના ભાઈએ પણ 24 કલાકમાં ગળે ફાંસો લગાવી દુનિયાને અલવિદા કહી દીધુ

હાલમાં એક પરિવારમાં 24 કલાકમાં જ બે સગા ભાઈઓએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ નાના ભાઈ આકાશ દ્વારા નર્મદા નદીના કિનારે ખેડીઘાટ સ્મશાન ઘાટ પર મોટાભાઈ સોનુને મુખાગ્નિ આપવામાં આવી હતી અને તેના 18 કલાકમાં જ પોતાના ઘરે દરવાજો અંદરથી બંધ કરીને પંખા સાથે લટકીને ફાંસો ખાઈ લીધો.

પરિવારના જણાવ્યા પ્રમાણે સોનુની પત્ની કેટલાક દિવસોથી રીસામણે પિયર જતી રહી હતી અને દંપતિ વચ્ચે કોઈ કારણોસર વિવાદ હતો. જેને પગલે સોનુએ આત્મહત્યા કરી લીધી. આશરે 10 વર્ષ અગાઉ સોનુ અને આકાશની બહેને પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આકાશે આત્મહત્યા કરી તેના એક દિવસ અગાઉ મોટાભાઈ સોનુના લગ્નનો ફોટો ઘરમાં સૌને બતાવી તે ખૂબ જ રડી રહ્યો હતો. મોટાભાઈના મૃત્યુંનો આઘાત તે સહન કરી શક્યો ન હતો અને તેણે આત્મહત્યાનું પગલું ભર્યું.

બડવાહના SDOP માન સિંહ ઠાકુરનું કહેવું છે કે, તિલક માર્ગ નિવાસી સોનુની પત્ની લગભગ છેલ્લા દોઢ વર્ષથી અલગ થઈ ઈન્દોરમાં રહે છે. બન્ને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ પણ ચાલતો હતો. તેને લીધે સોનુએ આત્મહત્યા કરી લીધી હતી. આ સંજોગોમાં નાનો ભાઈ આકાશ પણ ખૂબ જ ઉદાસ થઈ ગયો હતો અને ડિપ્રેશનમાં આવી ગયો હતો. મોટાભાઈના મૃત્યુનો આઘાત તે સહન કરી શક્યો ન હતો. પોલીસ તથા ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *