“જેવું ભારતે કર્યું તેવું 40-50 વર્ષમાં કોઈ દેશે નથી કર્યું…” ડિપ્લોમેટ હટાવવા મુદ્દે શું બોલી ગયા કેનેડાના ટ્રુડો

India-Canada Tensions News: ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ હજુ પણ ચાલી રહ્યો છે. તે દરમિયાન ભારતે કડક વલણ અપનાવ્યા પછી કેનેડાએ તેના 41 રાજદ્વારીઓને…

India-Canada Tensions News: ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ હજુ પણ ચાલી રહ્યો છે. તે દરમિયાન ભારતે કડક વલણ અપનાવ્યા પછી કેનેડાએ તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે.શુક્રવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વિશ્વના દેશોની સહાનુભૂતિ મેળવાના ઘણા પ્રયાસ કર્યો છે. ટ્રુડોએ ભારતના(India-Canada Tensions News) નિર્ણયને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે,વિશ્વના તમામ દેશોએ આ ઘટનાક્રમથી ચિંતિત થવું જોઈએ. તેમના નિવેદન પછી અમેરિકાની પ્રતિક્રિયા આવી છે.

જસ્ટિન ટ્રુડોનું આ નિવેદન એવા સમય સામે આવ્યું છે કે જેના એક દિવસ પહેલા જ ભારતની ચેતવણી પછી કેનેડાએ પોતાના 41 રાજદ્વારીઓને પાછા બોલવી લીધા છે.ટ્રુડોએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે,ભારતે અચાનક 41 કેનેડિયન રાજદ્વારીઓની રાજદ્વારી પ્રતિરક્ષા રદ કરી અને તેમને ભારત છોડવાનો આદેશ આપ્યો છે.ભારતનો આ નિર્ણય વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન છે અને તેનાથી વિશ્વના તમામ દેશોની ચિંતા થવી જોઈએ.નવી દિલ્હીએ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.સમાનતાના અમલ માટે ઓટાવાના પ્રયાસોને નકારી દેવામાં આવ્યા છે.તે મુત્સદ્દીગીરીના ખૂબ જ સામાન્ય સિદ્ધાંતનું પણ ઉલ્લંઘન કરી રહ્યો છે.

40-50 વર્ષમાં કોઈ દેશે આવું કર્યું નથીઃ કેનેડાના ભૂતપૂર્વ રાજદ્વારી
ભારતના આ પગલા પર કેનેડાના ભૂતપૂર્વ રાજદ્વારી ગર પારડી કહે છે, “હું આવી ઘટના વિશે ક્યારેય વિચારી શકતો નથી. એક દેશ સાથે રાજદ્વારી સંબંધો ખતમ કરવાના અને દરેકને દેશમાંથી બહાર કાઢવાના પગલા વિશે. તેથી હું બિલકુલ વિચારી શકતો નથી. હું છેલ્લા 40 કે 50 વર્ષમાં એવી કોઈ ઘટના યાદ નથી કે જ્યાં આવું કંઈક બન્યું હોય. સોવિયેત રશિયા સાથે પણ નહીં, જ્યારે આપણા રાજદ્વારી સંબંધો સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા.

કેનેડાના અન્ય ભૂતપૂર્વ રાજદ્વારી અને કેનેડાના એશિયા પેસિફિક ફાઉન્ડેશનના પ્રમુખ જેફ નાનકીવેલે પણ કહ્યું કે ભારતનું પગલું સામાન્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે, “હું આવી ઘટનાઓ વિશે વિચારી શકતો નથી. ભારત દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહી ચોક્કસપણે કોઈ ઉદાહરણ વગરની નથી. જે ​​પ્રકારના સમાચાર આવી રહ્યા છે તેનાથી ભારતમાં કેનેડાની રાજદ્વારી કામગીરીમાં અવરોધ આવશે.”

આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન
કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ કેહવું એવું છે કે, રાજદ્વારીઓ વિરુદ્ધ ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું છે કે, ભારત સરકારે ભારતમાં 41 કેનેડિયન રાજદ્વારીઓની રાજદ્વારી પ્રતિરક્ષા રદ કરવાનો એકપક્ષીય નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિયેના કન્વેન્શનનું ઉલ્લંઘન છે. તે મુત્સદ્દીગીરીને નિયંત્રિત કરે છે.

તેઓ આંતરરાષ્ટ્રીય કાયદા અને મુત્સદ્દીગીરીના ખૂબ જ મૂળભૂત સિદ્ધાંતનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ એવી બાબત છે જેના વિશે વિશ્વના તમામ દેશોએ ખૂબ જ ચિંતા કરવી જોઈએ. ટ્રુડોએ કહ્યું છે કે, કેનેડિયન રાજદ્વારીઓ પર ભારત સરકારની કાર્યવાહી બંને દેશોના લાખો લોકો માટે સામાન્ય જીવન મુશ્કેલ બનાવી રહ્યું છે. હું ભારતીય ઉપખંડ સાથે જોડાયેલા લાખો કેનેડિયનોની સુખાકારી અને સુખ માટે ખૂબ જ ચિંતિત છું.

કેનેડા પાસે હવે ભારતમાં 21 રાજદ્વારીઓ
કેનેડાની વસ્તી લગભગ 20 લાખ જેટલી છે, જેમાંથી 5 ટકા ભારતીયો છે. મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલ અને અન્ય કોર્સનો અભ્યાસ કરવા કેનેડા જાય છે. અભ્યાસ પરમિટ ધરાવતા લગભગ 40 ટકા બાળકો ત્યાં રહી રહ્યા છે. આ પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે વિયેના કન્વેન્શનના ઉલ્લંઘનના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. અમારા દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિને જોતાં અહીં મોટી સંખ્યામાં કેનેડિયન રાજદ્વારીઓ છે. એક નિવેદનમાં કહ્યુ છે કે, આપણી આંતરિક બાબતોમાં તેમની સતત દખલગીરી જોવા મળી છે. નવી દિલ્હી અને ઓટાવામાં પરસ્પર રાજદ્વારી હાજરીમાં સમાનતાની જરૂર પડે છે. કેનેડા પાસે હવે ભારતમાં 21 રાજદ્વારીઓ બાકી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *