ગુજરાત કોંગ્રેસને મોટો જટકો, આ નામાંકિત નેતાએ આપ્યું રાજીનામું

ગુજરાતમાં ચુંટણી આવતાની સાથે દરેક કોંગ્રેસી નેતા એક પછી એક રાજીનામું આપવા લાગ્યા છે. કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર દ્વારા કોંગ્રેસ છોડવાની વાત કરવામાં આવતા રાજકારણમાં…

ગુજરાતમાં ચુંટણી આવતાની સાથે દરેક કોંગ્રેસી નેતા એક પછી એક રાજીનામું આપવા લાગ્યા છે. કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર દ્વારા કોંગ્રેસ છોડવાની વાત કરવામાં આવતા રાજકારણમાં ખુબ ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના જયરાજસિંહની નારાજગી પછી અમદાવાદના કોંગ્રેસના કોર્પોરેટર અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા બદરુદ્દીન શેખે તેમના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. બદરુદ્દીન શેખની સાથે-સાથે 13 જેટલા અન્ય સભ્યોએ પણ પક્ષ સમક્ષ તેમનું રાજીનામું ધરી દીધું છે. આ બાબતે બદરુદ્દીન શેખ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી.

જયરાજ સિંહે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ અપલોડ કરીને જણાવ્યું હતું  કે, ‘મારા વ્હાલા મિત્રો જાહેરજીવન અને પક્ષની રાજનીતિથી હું થાક્યો છું. વિરામની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. જયમાતાજી’ હજી તો આ એક નેતાને પાર્ટી નથી મનાવી શકી ત્યાં તો બીજા એક નેતાએ તેમના તમામ હોદ્દા પરથી રાજુનામું આપી દેતા કોંગ્રેસનો આંતરિક વિવાદ સામે આવ્યો છે.

એક રિપોર્ટ મુજબ કોંગ્રેસ દ્વારા બહેરામપુરા વોર્ડની પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવારને મેદાને ઉતારવામાં આવતા બદરુદ્દીન શેખની નારાજગી સામે આવી હતી. બદરુદ્દીન શેખનું રાજીનામું પડતા પાર્ટી દ્વારા તેમને મનાવવાના બધા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ સાથે સબંધ તોડયા બાદ ભાજપમાં આવ્યા હતા, તે પછી હાલ કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર અને બદરુદ્દીન શેખ પણ પાર્ટીથી ખુબ નારાજ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *