6 ડિસેમ્બરથી શરૂ થશે રામ મંદિરનું નિર્માણ : જાણો કોણે આપ્યું નિવેદન

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના BJP સાંસદ સાક્ષી મહારાજે રામ મંદિર વિશે મોટુ નિવેદન આપ્યુ છે. યુપીના એટામાં ભાજપ સાંસદ સાક્ષી મહારાજે કહ્યુ કે આગામી 6…

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના BJP સાંસદ સાક્ષી મહારાજે રામ મંદિર વિશે મોટુ નિવેદન આપ્યુ છે. યુપીના એટામાં ભાજપ સાંસદ સાક્ષી મહારાજે કહ્યુ કે આગામી 6 ડિસેમ્બરથી અમે રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દઈશુ.

રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ મામલાને લઈને સુપ્રીમ કોર્ટ સતત સુનાવણી કરી રહ્યુ છે. મંગળવારે 30માં દિવસે પણ સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ સમક્ષ મુસ્લિમ પક્ષ અને હિંદુ પક્ષ તરફથી સતત દલીલો રજૂ કરવામાં આવી રહી છે.

સાક્ષી મહારાજે એટામાં કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરની સુનાવણી ચાલી રહી છે તે લગભગ પૂરી થઈ ચૂકી છે. મને લાગે છે કે આગામી 6 ડિસેમ્બરથી અમે રામ મંદિરનું નિર્માણ શરૂ કરી દઈશુ. વધુમાં તેમણે જણાવ્યુ કે હિન્દુત્વની વિચારધારાએ ક્યારેય મસ્જિદ કે ચર્ચને તોડવાનું કામ કર્યુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *