સોશિયલ મીડિયા પર કર્યો હતો કોરોના ની દવા નો દાવો, પહોંચી ગયો જેલ

કોરોના ની દવા નો ફોર્મ્યુલા બનાવવાનો દાવો કરનાર એક વ્યક્તિને યુપી પોલીસે ગિરફ્તાર કરી લીધો છે. ગિરફ્તાર વ્યક્તિનો દાવો છે કે કોરોના ની 27 વર્ષ પહેલાં જ દવા બની ચૂકી છે અને તે છ વર્ષથી આ દવાને લઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો માં આ વ્યક્તિએ એમને આ ફોર્મ્યુલા આપવાની વાત કરી હતી.

મેરઠના જાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોરોનાવાયરસ ની સંબંધિત અભીયુક્ત કરનારને ગિરફ્તાર કરી જેલ મોકલી દીધો છે.

આ વ્યક્તિએ વીડિયોમાં પોતાનું નામ પવન દાસ જણાવે છે અને મેરઠના બગપત રોડનો નિવાસી જણાવે છે. તેનો દાવો છે કે તેણે જે દવા બનાવી છે તે સો ટકા અને સમાપ્ત કરી શકે છે.આ સંદેશ તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આપી રહ્યો છે અને તેનો દાવો છે કે કોરોના તો શું કોઈપણ વાયરસ આવી જાય તો તેને પણ આ દવાન સમાપ્ત કરી દેશે.

સાથે જ તેનો દાવો છે કે કોના કોઈ મોટી વસ્તુ નથી અને ન કોઈ મહામારી છે.તેનું કહેવું છે કે હજુ પણ દુનિયા પર કોઈ સંકટ આવે છે તો તેનો હલ ભારત શોધી કાઢે છે અને ભારતમાં સોનાની આ દવા 27 વર્ષ પહેલાં જ બની ચૂકી છે.

સનકી પવન દાસ નું કહેવું છે કે મેરઠના બાગપત રોડ પર તેની દુકાન છે અને ત્યાં આવીને પ્રધાનમંત્રી તેને મળી શકે છે.તેનો આવો પણ દાવો છે કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિવેદન કરી રહ્યોં છે ટેસ્ટિંગ માટે તે પોતે તૈયાર છે. તે છ વર્ષથી આ દવા લઈ રહ્યો છે.

પવન દાસે પીએમ મોદીની અપીલ કરતાં કહ્યું કે તેઓના ના દરદીઓ વચ્ચે ગમે એટલા દિવસ રહે. તે આ દવા લે છે અને તેને કશું નહીં થાય.સાથે જ તેનું કહેવું છે કે જો તેને કશું નથી થતું તો મોદીજીને માનવું પડશે કે આ તો કોરોના ની દવા છે. જો તે મૃત્યુ પામે છે અથવા તેને કશું થાય છે તો તેનો જવાબદાર તે પોતે જ રહેશે.

પવનનો દાવો એ પણ છે કે તે ટેસ્ટ પૂર્ણ થયા બાદ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એકાંતમાં આ દવાનો ફોર્મુલા બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *