લગ્નના 25 દિવસ બાદ હનીમૂન મનાવવા ગયેલા કપલ સાથે રસ્તામાં જ બની એવી ઘટના બની કે, લોહીના આંસુએ રડ્યો પરિવાર

અકસ્માતના કિસ્સામાં સતત વધારો થતો જોવા મળે છે. કોઈવાર સામેવાળાના ભૂલને કારણે અને વાહનની વધુ ઝડપના કારણે ઘણા અકસ્માત સર્જાય છે. એક ખૂબ દુખદ અકસ્માતની ઘટના સામે આવી છે. એક કપલ લગ્ન બાદ ખૂબ ખુશ હતું, કપલને કોઈની નજર લાગી ગઈ.

લગ્નના માંડ 25 દિવસ થયા હતા ને દંપતી પર કાળ ત્રાટક્યો હતો. હજુતો  દુલ્હનના હાથની મહેંદી પણ નહોતી સુકાઈને પરિવાર પર આભ તૂટી પડ્યું. લગ્ન બાદ હનીમૂન માનવવા ગયેલા કપલનું ખુબજ દર્દનાક મોત નીપજ્યું છે.  વિશાલ કુમાર જાટ (ઉંમર વર્ષ 25) ના લગ્ન નેહા નામની યુવતી સાથે 25 દિવસ પહેલાં થયા હતા.

લગ્ન બાદ આ દંપતી ખુશખુશાલ હતું. પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો નવી વહુના આગમનથી. 21 ફેબ્રુવારીના રોજ કપલ કારમાં સવાર થઈને રાજસ્થાન હનીમૂન પર ગયા હતા. કોઈને ક્યાં ખબર હતી કે, હનીમૂન મનાવવા ઘરેથી નીકળેલા કપલનો આ પ્રવાસ જિંદગીનો છેલ્લો પ્રવાસ છે.

તે પછી ક્યારેય ઘરે જીવતા પાછા નહીં ફરી શકે. આ હસીખુશી જતાં આ કપલની કારને રાજસ્થાનના ચુરુ જિલ્લાના સરદારશહેર નજીક એક ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. જેમાં દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ કપલને હોસ્પટલ ખસેડ્યુ હતું.

પણ બંનેએ રસ્તામા જ દમ તોડી દીધો હતો. કપલના મૃતદેહોને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. પરિવારજનો આવ્યા બાદ પોલીસે પોસ્ટમોર્ટ કરાવી મૃતદેહો સોંપ્યા હતા. આ કપલની કારને રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલા સરદારશહેર નજીક એક ટ્રકે જોરદાર ટક્કર મારી દીધી હતી.

આ અકસ્માતમાં દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ ત્યાના સ્થાનિક લોકો આ દંપતીને સારવાર માટે હોસ્પટલમાં લઇ ગયા હતા. પરંતુ હોસ્પટલમાં સારવાર મળે તે પહેલાજ બંનેએ રસ્તામા દમ તોડી દીધો હતો.   પરિવારજને ઘટનાની જાણ થતાની સાથે જ તરત ઘટના સ્થળે આવી પહોચી હતી અને ત્યાર બાદ પોલીસે પોસ્ટમોર્ટ કરાવી મૃતદેહો પરિવારજનોને સોંપ્યા હતા. વિશાલ કુમારના ભાઈ સંજીવકુમારની ફરિયાદ પરથી પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *