આ ખાસ પ્રકારના જુવારની ખેતી ખેડૂતોને કરી દે છે માલામાલ- 5 એકર જમીનમાં મેળવ્યું છપ્પરફાડ ઉત્પાદન

Sorghum Cultivation: જુવાર એ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય પાકોમાંનો એક છે. તેની ખેતીથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે.ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકાના દોડવાડા ગામમાં મોટાપાયે જુવારની…

Sorghum Cultivation: જુવાર એ ભારતમાં ઉગાડવામાં આવતા મુખ્ય પાકોમાંનો એક છે. તેની ખેતીથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે.ભરૂચ જિલ્લામાં વાલિયા તાલુકાના દોડવાડા ગામમાં મોટાપાયે જુવારની ખેતી(Sorghum Cultivation) કરવામાં આવે છે.તો ચાલો જાણીએ જુવારની ખેતી માટે યોગ્ય સમય અને વિવિધ જાતો વિશે.

જુવારની ખેતીને સૂકી જમીન માફક આવે છે. દોડવાડા ગામમાં છેલ્લા 50 વર્ષથી આ જ જુવારની જ ખેતી કરવામાં આવે છે. વરસાદના પાણીમાં જ આ પાક તૈયાર થાય છે. ઓક્ટોબર મહિનામાં ખેડૂતે જુવારનું વાવેતર કર્યું હતું. જુવારનો પાક 2.5 થી 3 મહિનામાં તૈયાર થઈ જાય છે.

એકવાર વાવેતર કર્યા બાદ આબોહવા પર તૈયાર થાય
પીરીયો જાતની જુવારની ખેતીમાં ખેડૂત વાવણી સમયે જ DAP ખાતર આપે છે. ત્યારબાદ ખેડૂત કોઈ પણ જાતના ખાતરનો વપરાશ કરતા નથી કે, પાણી આપતા નથી. પીરીયો જાતની જુવારનું એકવાર વાવેતર કર્યા બાદ આબોહવા પર જ પાક તૈયાર થઇ જાય છે. ખેડૂતને 5 એકર જમીનમાંથી 25 ક્વિન્ટલ કરતા વધુ ઉત્પાદન મળી રહે છે.

પીરીયો જાતની જુવારના રોટલા અન્ય જુવારના રોટલા કરતા જુદા
આ જાતની જુવાર ચીકાસ વાળી હોય છે. પીરીયો જાતની જુવારના રોટલા અન્ય જુવારના રોટલા કરતા અલગ હોય છે. આ જાતની જુવારના રોટલા જલ્દી ભાંગી નથી જતા. ગત વર્ષે ખેડૂતને જુવારનો માર્કેટ ભાવ 6 હજાર રૂપિયા ક્વિન્ટલ મળ્યો હતો. તો પાક પૂર્ણ થતા સુધીમાં લોકોએ 8,500 સુધીમાં પણ માંગી હતી, જ્યારે આ વર્ષે જુવારનો માર્કેટ ભાવ 8 હજાર રૂપિયા ક્વિન્ટલ ચાલી રહ્યો છે. આ જુવારનું વેચાણ સગા સંબંધી તેમજ ઓળખીતા સુધીમાં જ થઈ જતું હોય છે.

ખેતી માટે યોગ્ય સમય
ખરીફ સિઝનમાં ઉત્તર ભારતમાં જુવારની ખેતી કરવામાં આવે છે.
તેની વાવણી માટે એપ્રિલ-જુલાઈનો મહિનો શ્રેષ્ઠ છે.
પિયત વિસ્તારોમાં જુવારના પાકની વાવણી 20મી માર્ચથી 10મી જુલાઈ સુધી કરવી જોઈએ .
જે વિસ્તારોમાં સિંચાઈ ઉપલબ્ધ નથી, ત્યાં ચોમાસામાં પ્રથમ તક મળતાં જ વરસાદી પાકનું વાવેતર કરવું જોઈએ .

નીંદણ વ્યવસ્થાપન
ભેજવાળી સ્થિતિમાં વાવણીના 48 કલાકની અંદર વાવણી પહેલા 1 કિલો સક્રિય ઘટક/હેક્ટરના દરે એટ્રાઝીનનો છંટકાવ કરો. નીંદણના વિકાસને ચકાસવા માટે પાકના 35-40 દિવસ જૂના અવસ્થા સુધી બે વાર યાંત્રિક નિંદામણ કરવાની ભલામણ કરવામાં આવે છે.વાવણી પછી 20 થી 35 દિવસની વચ્ચે, એક કે બે વાર બ્લેડ હેરો અથવા કલ્ટિવેટર વડે આંતર ખેડાણ કરો. માત્ર નીંદણની વૃદ્ધિ અટકશે જ નહીં, પરંતુ સપાટીની જમીન લીલા ઘાસના સ્વરૂપમાં જમીનની ભેજને પણ બચાવશે.

સિંચાઈ/વરસાદી પાણી વ્યવસ્થાપન
આ પાક સામાન્ય રીતે 550-750 મીમી વરસાદ ધરાવતા વિસ્તારોમાં વરસાદ આધારિત સ્થિતિમાં ઉગાડવામાં આવે છે. ચોમાસાના મોડા આગમનના કિસ્સામાં અને તેના અનિયમિત વિતરણના કિસ્સામાં, પાકની વાવણી કરો અને તરત જ પિયત આપો.