કબરમાંથી ગાયબ થઈ ગયો ચાર વર્ષના બાળકનો મૃતદેહ, જાણો ક્યાંની છે ઘટના

ઉત્તરપ્રદેશના બુલંદશહેરથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ચાર વર્ષના બાળકની કબર ખોલી હતી. આ મામલો ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના થોણા ગામનો છે. અહીં…

ઉત્તરપ્રદેશના બુલંદશહેરથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ચાર વર્ષના બાળકની કબર ખોલી હતી. આ મામલો ખાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના થોણા ગામનો છે. અહીં બુધવારે સાંજે એક બાળકનો મૃતદેહ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો જે હવે ગાયબ થઈ ગયો છે. એવો અનુમાન કરવામાં આવે છે કે, તંત્ર મંત્ર માટે મૃતદેહને સમાધિમાંથી કાઢવામાં આવ્યો હશે. હાલ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

બુલંદશહેરના થોના ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી 4 વર્ષનો બાળક બીમાર હતો. તેમણે તીવ્ર તાવ અને અન્ય રોગની પણ ફરિયાદ કરી હતી. પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. પરિવારે તેના મૃતદેહને ગામના કબ્રસ્તાનમાં દફનાવી દીધા હતા. ગુરુવારે સવારે પરિવારજનો કબર પર ગયા ત્યારે તેઓએ જોયું કે, સમાધિમાંથી બાળકની ડેડબોડી ગાયબ હતી. આ જોઇને સ્થળ પર હાજર લોકો ઉડી ગયા હતા.

સગાસંબંધીઓએ કબ્રસ્તાનમાં અને અન્ય જગ્યાએ મૃતદેહની તલાશી લીધી હતી. પરંતુ કંઇ મળ્યું ન હતું, ત્યારબાદ પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે કબ્રસ્તાનમાંથી લાશ ગુમ કરવા અંગે અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ અને પરિવારના સભ્યોને આશંકા છે કે, મંત્રની કામગીરી કરવા નિર્દોષની લાશ કબરમાંથી ગાયબ થઈ ગઈ છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસ દાવો કરી રહી છે કે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે અને મામલો ઉકેલી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *