દિલ્લી: ગુજરાતના મહિલા નેતાએ ખેડૂતોના મામલે લોકસભામાં વીમા કંપનીઓનો ઉધડો લીધો

કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં થયેલી પારાવાર નુકસાની બાદ પાક વીમો મળે તે માટે વલખા મારી રહ્યા છે.  વીમા કંપની દ્વારા મસમોટા પ્રિમીયમની ઉઘરાણી કરવામાં આવે…

કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં થયેલી પારાવાર નુકસાની બાદ પાક વીમો મળે તે માટે વલખા મારી રહ્યા છે.  વીમા કંપની દ્વારા મસમોટા પ્રિમીયમની ઉઘરાણી કરવામાં આવે છે, છતા જ્યારે પાક વીમો ચૂકવવાનો આવે ત્યારે તેઓ ઠેંગો દેખાડે છે. સરકાર આ સ્થિતિને જોઇ આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જામનગર સાંસદ પૂનમ માડમે સંસદના લોકસભા ગૃહમાં ગુજરાતમાં ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીની વાસ્તવિક્તાનો ચિતાર આપ્યો હતો.

રાજ્યમાં પાક વિમાને લઈને ખેડૂતોમાં સરકાર અને વીમા કંપની સામે આક્રોશ છે. ત્યારે આ મુદ્દાને જામનગર સાંસદ પૂનમ માડમે સંસદના લોકસભા ગૃહમાં પણ ઉઠાવ્યો હતો. તેઓએ વીમા કંપનીઓની મનમાની સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે, વીમા કંપનીઓની મનમાનીના કારણે ખેડૂતોને અધિકારી મળતો નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત કમિટી હેઠળ તપાસ થાય તેવી પણ તેમણે માંગ કરી હતી અને આ વીમા કંપનીઓ ખેડૂતોને વળતર આપે તેવો આ કમિટી આદેશ કરે તેવી માંગ પૂનમ માડમે કરી હતી.

પૂનમ માડમે કૃષિ મંત્રીને રજૂઆત કરી હતી કે તેઓ પાકવીમા મુદ્દે ઝડપથી તેઓ દખલગીરી કરે. પૂનમ માડમે કહ્યું કે,સરકારના પ્રયત્નો હોવા છતાં વીમા કંપનીઓની મનમાનીના કારણે ખેડૂતોને તેમને અધિકાર નથી મળી રહ્યો. વીમા કંપનીઓએ યોગ્ય આંકલન ન કર્યુ હોય તેના કારણે ખેડૂતોને તેમના હક નથી મળી રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *