ભાજપની ‘મહા’ નૈયા અધવચ્ચે ડૂબી : બહુમતના ફાંફા પડતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામુ

મહારાષ્ટ્રમાં લગભગ એક મહિનામા ભાજપે એન.સી.પી.ના અજીત પવારને પોતાની નારફ લઈને રાતોરાત પોતાની સરકાર બનાવી નાખી હતી. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી…

મહારાષ્ટ્રમાં લગભગ એક મહિનામા ભાજપે એન.સી.પી.ના અજીત પવારને પોતાની નારફ લઈને રાતોરાત પોતાની સરકાર બનાવી નાખી હતી. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી શપથ લઈને સૌને ચોંકાવી દીધા હતા. પણ સરકાર બનાવવા માટે ધારાસભ્યોની સંખ્યા જોઈએ છે જે અજિત પાસે હતી નથી. ભાજપને આશા હતી કે તે એનસીપીના ધારાસભ્યોને ખરીદી લેશે પણ તેનો ખેલ ઊંધો પડ્યો અને સુપ્રીમ કોર્ટે આવતીકાલ સુધીમાં જ બહુમત સાબિત કરવાનું કહ્યું.

આજ રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભાજપ પાર્ટીના હોશ ઉડી ગયા છે, હવે બહુમત સાબિત કઈ રીતે કરીશું. ગઈકાલે શિવસેના, કોંગ્રેસ અને એન.સી.પી. એ 162 ધારાસભ્યોનું શક્તિપ્રદર્શન જોઈને અજીત ને અંદાજો આવી ગયો કે તેની સાથે કોઈ નથી અને ફ્લોર ટેસ્ટમાં તે હારી જશે. હાલ જાણકારી અનુસાર અજીતે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે.

દેવેંદ્ર ફડણવીસે પણ તાબડતોડ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને રાજીનામાની જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે લોકોએ જનાદેશ આપ્યો હતો. અમે 102 સીટ સાથે સૌથી મોટી પાર્ટી બન્યા હતા. અમે શિવસેના સાથે સરકાર બનાવવાના પ્રયાસ કાર્ય હતા. શિવસેના એ અમારી જગ્યાએ NCP સાથે વાત કરી. શરદ પવારે અને ઉદ્ધવ ઠાકરેએ ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ અને નરેન્દ્ર મોદીને જવાબ આપી દીધો છે કે રાજનીતિમાં પવારનો “પાવર” તેમાંથી વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *